Mysamachar.in-જામનગર:
જામનગરના રણજીતસાગર રોડ પર વસંતવાટિકા નામનો વિસ્તાર આવેલ છે, અને આ વિસ્તારમાં કેટલાય લોકો વસવાટ કરે છે, ત્યારે ખાસ કરીને વરસાદને કારણે આ વિસ્તારમાં ઠેર-ઠેર ખાડાઓ નું સામ્રાજ્ય બની જતા કેટલાય લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, વિસ્તારમાં વસવાટ કરતાં કુણાલ મંગી નામના યુવક દ્વારા આજે બપોરે ૧૨:૦૫ કલાકે મનપામાં ખાડા બુરવામા આવે તેવી કમ્પેઈન કરી હતી, પણ ૧:૫૬ મીનીટે તેને મનપામાં થી એવો મેસેજ આવ્યો કે તમારી કમ્પ્લેઇન સોલ્વ થઇ ગઈ છે, અને આ કામ મંજૂરી મળ્યે ચાલું કરવામાં આવશે, તો પછી ફરિયાદનો નિકાલ કઈ રીતે થયો કહેવાય, કારણ કે સ્થિતિ તો એમની એમ છે અને સ્થાનિકો કિલ્લત ભોગવવા મજબુર…ત્યારે સવાલ એ પણ થાય કે ફરિયાદ કરનારની ફરિયાદો નો આ રીતે કાગળ પર નિકાલ થઇ જતો હશે..