Mysamachar.in-જામનગર
નિયમિત અને નબળા પ્રકારના તેમજ સામાન્ય વર્ગના મિલકત વેરા ની વસુલાત માટે શુરવીર થતુ કોર્પોરેશન મોટા આસામીઓ જેમની પાસેથી કરોડોની વસુલાત બાકી છે, ત્યા તો પુછડી પટપટાવતુ હોય તેવી દશા છે, ત્યા કંઇ પગલા લઇ શકતા નથી, આવા કારણોસર જ ઓડીટમાં નોંધ લેવાય છે અને તેના ઉપરથી સ્ટેન્ડીંગ કમીટીએ ઠરાવ કરી ગંભીરતાથી નોંધ લીધી છે કે મિલકત વેરાની વસુલાત નબળી છે, જેમાં ૩૭ કરોડની વસુલાત તો લાંબા સમયથી બાકી છતા કોઇ પગલા નહી તેના ડીસ્પ્યુટ નીકાલના પગલા નહી કે કાર્યવાહી પણ થતી નથી, વળી ૧ લાખથી વધુ વસુલાતના ૫૦૦૦ કેસ છતા મિલકત વેરા શાખા જે હોંશે હોંશે કામગીરીના પ્રચાર કરે છે તેમના પેટના પાણી હલતા નથી કેમકે નિયમિત કરદાતા ભરે છે તે ભરે જ છે પરંતુ જે નથી ભરતા તે નથી જ ભરતા તેવો માહોલ સર્જાયો છે
કાવાદાવા ઉપર પડતા પરદા…
મિલકતના બાંધકામમા ફેરફાર જેમકે ઘણી જગ્યાએ મિલકત ઓરડીમાંથી બંગલો બની ગયો છતા નવી આકારણી નહી તો વળી જ્યા પ્લોટની વસુલાત થતી રહેતી હોય તેની સામે એપાર્ટમેન્ટ બની ગયા છતા જુનો વેરો જ ચાલે છે, ત્યારે મિલકતવેરાના ઢોલ વોરંટ જપ્તી બાદ પણ
ધારી વસુલાત થતી નથી, એટલે જ તો આટલા વર્ષોથી બાકી ચાલી આવી છે, ત્યારે આવા ધરમુળ ફેરફાર ઉપર પરદા પાડી કેમ જુની વસુલાત થાય છે તે સવાલ સામે મિલકત વેરા વસુલવામા અધીકારી નબળા પડે છે…કે કેમ તે સવાલ પણ થાય જ…
ડી ફોલ્ટરની યાદી જાહેર કરવામાં પણ જાદુ…
તાજેતરમાં મનપાએ ડી ફોલ્ટરની એક યાદી જાહેર કરી હતી, તેમાં પણ જાણે જાદુ થયો હોય તેમ જેના લાખો કરોડો બાકી છે તેવા નામો જોવા મળ્યા નહોતા,