Mysamachar.in-જામનગર
જામનગર શહેરમા એક લાખથી વધુ નળ જોડાણ છે, પરંતુ હજારો જોડાણ ધારકો લાંબા સમય સુધી વોટર ચાર્જ ભરતા નથી અને આવી રકમ રૂપિયા ૧૬ કરોડથી વધુ છે, (જો કે પાણીવેરાની કુલ બાકી ૧૧૦ કરોડ છે) ઉપરથી ભુતિયા નળ જોડાણ વધતા જાય છે, તે તો ચોખ્ખી ખોટ જ છે, કોર્પોરેશનના છેલ્લા ઓડીટ રિપોર્ટમા નોંધાયા મુજબ 16687 લોકો પાસેથી ૧૦૦૦૦ થી વધુ રકમ બાકી છે, એટલે કે વોટરચાર્જ બાકી છે તે પણ લાંબા સમયથી બાકી છે, ઉપરાંત વોટરવર્કસે ભૂતિયા નળ અંગે કેટલા સામે નોટીસ, કામગીરી કરી કેટલા કનેક્શન રેગ્યુલર થયા કંઇ વિગતો ઓડીટ શાખાને આપી જ નથી તેમજ ઓડીટને વસુલાતની કોઇ વિગત પુરી પાડી નથી, મહત્વનુ છે કે એક તો ભૂતિયા નળનુ રેકેટ નાથી શકાતુ જ નથી, અમુક મીઠી નજરથી અમુક જોહુકમીથી જોડાણ વધતા જતા કેટલુ પાણી વિતરણમા જોઇશે તેનો અંદાજ ન થાય તેટલી મોટી સંખ્યામાં છે.