Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે એવુ કહેવાય કે ચોમાસુ તીવ્ર તો બધી જ ઋતુના પ્રકોપ વધે છે. આ માન્યતા શિયાળા માટે તો સાચી પડી જ છે, ગત ચોમાસામા ૧૬૦ ટકાથી વધુ વરસાદ તે પણ ગાજવીજ અને પવન સાથેનો ગજબ રહ્યો ત્યારથી ઠંડી વધુ પડવાના એંધાણ તો હતા જ પરંતુ ઠંડી પેટમા અને ફેફસામા શ્વાસથી ઘુસી તોબા પોકારાવશે તેવા એંધાણ ન હતા… સામાન્ય રીતે છેલ્લા દોઢ દાયકાથી ઋતુઓની વિચિત્રતાના કારણે જનજીવન ઉથલ પાથલ થાય છે…કાર્ય શક્તિ ઘટે છે કામના કલાક પદ્ધતિ બધુ જ બદલે છે, એકંદર ઉત્પાદકતા પણ ઘટે છે અને લોકોની તંદુરસ્તી બગડતા એકંદર કાર્યશક્તિ ઘટે છે. તેમજ જાગવાના સુવાના ક્રમ ફરે છે અને ચિંતાજનક તો એ છે કે વ્યસનોના સહારે ઠંડીથી બચવા અપનાવાતા વ્યસનો વધતા તે પણ હેલ્થ સહિત સામાજીકતા કાયદો સલામતી સુચારીતા વગેરે પણ બગડે છે,
બીજી તરફ ઋતુઓની માન્યતાને માનીએ તો ઠંડી વધુ તો વરસાદ અને ગરમી પણ વધુ ગત શિયાળામા નોંધપાત્ર ઠંડીના દિવસો વધુ હોવા સાથે ગરમીનો ગાળો ખુબ લાંબો રહેવાની સાથે ચોમાસુ પણ લંબાતુ જ જતુ હતુ તે મુજબ આ વખતે પણ ગત ચોમાસુ આ શિયાળો જોતા ઉનાળો એક જ તોબા નહી અનેકગણી તોબા પોકારાવે તો નવાઇ નહી તેવી માન્યતા છે, ઠંડીથી કોપ ગરમીથી કોપ, ચોમાસાથી કોપ હોય તો લોકોને રોજબરોજના કામ ભોજન ક્રમ કામમા કાળજી વ્યવહારીકતા જાળવવી આવવુ જવુ તંદુરસ્તી વગેરે ઘણુ અનિયમિત થાય કે બગડે છે. પરંતુ એક વાત તો છે કે એકંદરે ઋુતુઓની એકબીજા ઉપર આધારીત તિવ્રતાનુ અનુમાન અમુક અપવાદ બાદ કરતા સાચુ પડતુ રહે છે.