Mysamachar.in-જામનગર:
રાજ્યની ખ્યાતનામ મેડીકલ કોલેજોમાં મોખરાનું સ્થાન ધરાવતી અને જે કોલેજમાં હજારો વિદ્યાર્થીઓએ તબીબી ક્ષેત્રનો અભ્યાસ કરીને દુનિયાભરમાં ફેલાયેલ છે, અને હાલ તેવો ઉતમ સેવાઓ દર્દીઓને આપી રહ્યા છે, તેવી જામનગરની ગૌરવવંતી એમ.પી.શાહ મેડીકલ કોલેજ શરુ થયાથી અત્યારસુધીમાં અહી અભ્યાસ કરીને તબીબીક્ષેત્રમાં દેશ દુનિયામાં ફેલાયેલા છે, તે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મેગા રીયુનીયન ૨૦૨૦ ભવ્ય રીતે યોજાવવા જઈ રહ્યું છે, ત્યારે આજે આ મેગા રીયુનિયનની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન મેડીકલ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.
આગામી તારીખ ૧૦,૧૧ અને ૧૨ જાન્યુઆરી એમ ત્રિદિવસીય ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન જામનગર મેડીકલ કોલેજના આંગણે કરવામાં આવ્યું છે, જેની ઇનોગ્રેશન સેરેમની ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે, તો રીયુનિયન દરમિયાન દેશ વિદેશમાંથી અંદાજે ૧૫૦૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ હાલ નિષ્ણાત તબીબો છે, તેવો પણ પોતાન સહ પરિવાર સાથે આવશે અને અભ્યાસકાળની યાદો તાજી કરશે અને નિષ્ણાત તબીબો એકબીજા સાથે વિચારોનું આદાન-પ્રદાન કરશે, આ કાર્યક્રમ દરમિયાન જાણીતા સિંગર શ્રેયા ઘોસાલના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે,આ સિવાય પણ અનેક કાર્યક્રમો માટેની તૈયારીઓને હાલ કમિટી દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં મેડીકલ કોલેજના ડીન ડો.નંદીની દેસાઈ, ડો.વિજય પોપટ, ડો.દીપક ભગદે, ડો.નીલેશ ગઢવી, ડો.જે.જે.ઓઝા વગેરે હાજર રહ્યા હતા અને પત્રકારોને માહિતી આપી હતી.