Mysamachar.in-જામનગર:
ભારતીય હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્વમાં ઉદભવેલ ડીપ્રેશનના કારણે “મહા”વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે જેના અનુસંધાને જામનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર રવિશંકરના અધ્યમક્ષ સ્થાનને તાત્કાલીક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં, કલેકટર દ્વારા માછીમારોને પરત આવવાની સુચના તેમજ વોર્નીંગ સિગ્નલ્સના પ્રસારણ માટે મરીન વિભાગને સુચના આપવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં વરસાદની ચેતવણી જાહેર કરેલ છે. જે અન્વનયે માછીમારો કે બોટો દરીયામાં ન જાય તેની તકેદારી રાખવા તેમજ કંટ્રોલ રૂમને સતર્ક રહેવા, અગરીયાઓને દરીયાથી દુર રહેવા અને હાલના તબ્બકે તેમની પ્રવૃતિ સ્થગીત કરવા અને સબંધિત વિભાગોને સતર્ક રહેવા તેમજ તાલુકા સ્તરે પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરવા કલેકટર રવિશંકર દ્વારા અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે.
વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના અનુસંધાને જામનગર જિલ્લા્તંત્ર દ્વારા લોકોને તકેદારીના પગલા અંગેના સુચનો પણ આ બેઠકમા કરવામાં આવ્યા હતા, ગુજરાતના વેરાવળથી દક્ષિણ દિશા તરફ “મહા”વાવાઝોડાએ આકાર લીધો છે,ત્યારે અરબી સમુદ્વમાં ઉદભવેલા “મહા” વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોને સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. ત્યારે જામનગર જિલ્લાતંત્ર દ્વારા નાગરિકોને તકેદારીના સુચનો જેવા કે,
વાવાઝોડા પહેલા અફવા ફેલાવશો નહી શાંત રહેવું, સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહેવી, બેટરીથી ચાલતા રેડીયો વાપરવા સલાહ છે, જોખમી વિસ્તારમાં રહેતા હોય તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરવુ, ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો, માછીમારોએ દરિયામાં જવુ નહી બોટ સલામત સ્થળે લાંગરવી, અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવુ, લણણી માટે તૈયાર પાકને સમયસર લણી લઈ સલામત સ્થળે ખસેડો જેથી વાવાઝોડાથી થતું નુકશાન અટકાવી શકાય, આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો, રેડિયો, ટોર્ચ, ફાનસ વધારાની બેટરી સાથે રાખો, અગત્યના ટેલીફોન નંબર હાથ વગા રાખો, પીવાનુ પાણી બંધ વાસણોમાં સંગ્રહી લો. તેમજ વાવાઝોડા દરમિયાન રેડીયો પર સમાચાર સાંભળતા રહો અને સુચનાઓનો અમલ કરો, વાવાઝોડાના સમયે બહાર નિકળવાનું સાહસ કરવું નહી, ઘરની બહાર હોય તો વિજળીના તારથી દુર રહો થાંભલા કે વિજ ઉપકરણોને અડશો નહી, વીજ પ્રવાહ અને ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરના તમામ બારી બારણા બંધ રાખો નાના બાળકોની વિશેષ કાળજી લો, ખુલ્લી જગ્યામાં સપડાયેલા હોય તો સલામત આશરો શોધો,
ચેતવણી તરફ ધ્યાન આપો અને ફરવા નીકળશો નહી, દરિયા નજીક, ઝાડ નીચે કે વિજળીના થાંભલા કે લાઈનો નજીક ઉભા રહેશો નહી, ટેલીફોન દ્વારા શક્ય હોય તો કન્ટ્રોલરૂમમાંથી સાચી માહિતી અને અફવાઓથી દુર રહેવુ, પતરા, કાંચના ટુકડા, સાપ જેવા ઝેરી જીવજંતુથી સાવધ રહો, દરિયા પ્રવાસ કે માછીમારી માટે જતા આગાઉ ૨૪ કલાક રાહ જુઓ, પીવાના પાણીને ઉકાળીને જંતુરહિત કરવું ત્યારબાદ જ ઉપયોગ કરવો જો પાણી અને ગટરલાઈનમાં કોઈપણ પ્રકારનુ નુકશાન જણાય તો સંડાસનો ઉપયોગ બંધ કરવો અને નળનુ પાણી ન વાપરવું, બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનિસિપાલિટી કન્ટ્રોલ રૂમ અને તાલુકા મામલતદાર કચેરીના કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવો, બચાવની કામગીરી તાત્કાલીક ધોરણે યોગ્ય એજન્સીની મદદથી હાથ ધરવી તે માટે કોઈ પણ ટુકા રસ્તાઓ સહારો ન લેવો, વાવાઝોડા પછી સુરક્ષિત ખોરાકનો જ ઉપયોગ કરવો એમ જિલ્લાતંત્રની યાદી દ્વારા સુચનો આપવામાં આવ્યાં છે.