Mysamachar.in-જામનગર
દેશમાં એક સપ્તાહ પહેલા વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલા lockdown ને આજે આઠ દિવસ જેટલો સમય પસાર થઇ જવા પામ્યો છે તેની સાથે કોરોનાને કાબૂમાં લેવા જામનગરના વહીવટીતંત્રને સફળતા સાંપડી છે, આ સમયગાળામાં જિલ્લાભરમાંથી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી જ્યારે બીજી બાજુ lockdown ના પગલે શહેર તથા આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોમાં પાન બીડી તમાકુ જેવા વ્યસનો ધરાવતા લોકોની સંખ્યા વિપુલ પ્રમાણમાં જોવા મળી છે, અને તેની સાથે આવા બંધાણીઓમાંથી કેટલાય બંધાણીઓના તો માત્ર આઠ દિવસના સમયમાં તેમના બંધાણો તજી દીધા છે જેના પગલે lockdown પૂર્ણ થાય ત્યાં સુધીમાં આવા બંધાણીઓનો આંકડો મોટો જોવા મળે તેવી સંભાવના તજજ્ઞો દર્શાવી રહ્યા છે,
જામનગરના વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કોરોના ઇફેક્ટ વચ્ચે કડક કામગીરી દર્શાવી રહ્યા છે શહેરીજનો નિયમોનું પાલન કરી રહ્યા છે અને આ મહામારીનો સામનો કરવા લોકો ઘરમાં રહી સલામતીનો અહેસાસ કરી રહ્યા છે અને દર્શાવી રહ્યા છે સરકારી તંત્રને શહેરીજનો વચ્ચેના સહયોગ માં એક અદભુત અને રોમાંચિત બાબત પ્રકાશમાં આવે છે જેમાં શહેરમાં યુવા પેઢીથી માંડી મોટેરાઓ સુધીના લોકોમાં પાન બીડી સિગરેટ જેવાં વ્યસનો ઘર કરી ગયા હતા, પરંતુ આવી ચીજવસ્તુઓ બજારમાં દિવસે દિવસે ઘટવા લાગતા વેપારીઓ દ્વારા તેના કાળા બજાર કરવાનો આરંભ કરવામાં આવ્યો હતો જેની સામે આવા બંધાણીઓએ પાન તમાકુ જેવા વ્યસનોનો પરાણે છોડી દીધો હોવાની સ્ફોટક બાબતો પ્રકાશમાં આવી હતી અને તજજ્ઞોએ પણ આ મુદ્દાને અસરકારક ગણાવ્યો હતો, જોકે પ્રાથમિક તપાસમાં સામાન્ય જેવા કહીએ તો પણ 20 ટકા બંધાણીઓએ તેમના વ્યસનોનો ત્યાગ કર્યો હોવાની બાબતો પ્રકાશમાં આવવા પામી છે
શહેરમાં રહેલા અસંખ્ય બંધાણીઓ આજે આઠમા દિવસે પાન મસાલા ગુટકા બીડી સિગરેટ જેવાં વ્યસનોનો પોતાની મનગમતી વસ્તુઓ વેચાણમાં ઉપલબ્ધના હોવાથી ત્યાગ કરી રહ્યા છે, ત્યારે સમાજમાં રહેલા બુદ્ધિજીવી લોકો આ બાબતને ખૂબ જ સારી ગણાવી રહ્યા છે અને સાથોસાથ એવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે કે lockdown ના ૨૧ દિવસ પૂર્ણ થતા શહેરમાંથી આવા બંધાણીઓ ની આદત છૂટી જવાની સંખ્યા કદાચ ૫૦ ટકાથી વધુ જોવા મળે તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે જ્યારે પાન તમાકુ જેવા વ્યસનોથી મુક્ત થયેલા લોકો આઝાદીનો અનુભવ કરી રહ્યા છે સાથોસાથ તેમના પોકેટ મનીમાં પણ સેવિંગ વધી હોવાની બાબતો પ્રકાશમાં આવી છે.