Mysamachar.in-જામનગર
કોરોના ઇફેક્ટના પગલે જામનગર સહિત દેશભરમાં lockdown જાહેર કરવામાં આવ્યો છે, જેના 11 દિવસો દરમિયાન અલગ-અલગ બેંકોમાં રોજિંદા ચાલતા કામકાજમા આમૂલ પરિવર્તન આવવા પામ્યું છે, બેંકમાં ચેક ક્લિયરની સિસ્ટમ તેમજ બેંક લોન અને ફંડ ટ્રાન્સફર સહિતની કામગીરી મંદ પડી છે, દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા જન ધન યોજના અન્વયે મહિલા ખાતેદારોના બેંક ખાતાઓમાં રૂપિયા 500 ની રકમ જમા કરાવવામાં આવતા બેંક કર્મચારીઓ આવા બેંક ખાતાઓને કાર્યરત કરવામાં વ્યસ્ત બન્યા છે, બીજી બાજુ આવા ખાતેદારો રોકડ ઉપાડવા માટે બેંકની કેસ બારી પાસેથી લાંબી કતારો લગાવી સવારથી સાંજ સુધી રોકડ ઉપાડવાની કામગીરી કરી રહ્યા છે, બેંકના કર્મચારીઓ દ્વારા જન ધન યોજનાના મહિલા ખાતેદારોને રૂપિયા 100 અને 200 ની રકમ આપવામાં કાર્યરત થયા છે, બીજી બાજુ જોઈએ તો બેંકમાં વર્તમાન સમયમાં માત્ર રોકડીયો વ્યવહાર જ જોવા મળી રહ્યો છે.