Mysamachar.in-જામનગર:
શહેરના સંખ્યાબંધ વિસ્તારોમા તો પોણા બસ્સોથી વધુ ગેરકાયદેસર બાંધકામ શોધાયા છે,તે સિવાયના જે સંખ્યાબંધ શોધવાના છે..અને ઇરાદા પુર્વક રેકર્ડ ઉપર લેવાયા ન હોય તે પણ અલગ છે,પરંતુ એ દરેક સીમેન્ટના જંગલોની વચ્ચે શહેરની પેરીફેરીમાં ચોતરફ જે સ્થાયી અને અસ્થાયી દબાણો ખડકાય ગયા છે,જે લીસ્ટમા ચઢ્યા પણ નથી તે કોની મહેરબાનીથી છે તેવો સવાલ સહેજે ઉઠી રહ્યો છે,રણજીતસાગર રોડ, લાલપુર બાયપાસ, ગોકુલનગર, સાંઢીયાપુલ વિસ્તાર,ઇન્દીરામાર્ગના છેડાનો વિસ્તાર,રાજકોટ રોડ, કાલાવડ રોડ, ખંભાળીયા હાઇવે એમ દરેક બારોબારના વિસ્તારોમા રહેલા ધાબા,હોટલ,ચા-નાસ્તા સેન્ટરો,બીજા વેપાર ધંધાના સ્થળ, રહેણાંક,દુકાનો,ઓફીસો,રીસોર્ટ,રેસ્ટોરન્ટો જે સંખ્યાબંધ છે,તેમાંથી અમુક તો મંજુરી વગર અને અમુક તો સરકારી જગ્યામા બની ગયા છે,અને અમુક તો સામાન્ય મંજુરીમા ઘણુ બધુ ખડકી દીધેલા પણ છે,અને એવું નથી પાછા ધમધમે પણ છે,તે જોવા માટે જાંબાઝ અધિકારીઓ ક્યારે નીકળશે તે જોવાનુ છે.
-કોર્પોરેશન તો ઠીક…
કોર્પોરેશન તો ઠીક કે "હમ નહી સુધરેંગે"ની નીતિ વધુ અપનાવે છે,પરંતુ પી.ડબલ્યુ.ડી.,રેવન્યુ,જાડા,પંચાયત સહિતના વિભાગો પણ કેમ સળવળતા નથી ? કેમ કે આ દરેક દબાણમા ક્યાક ને ક્યાક આ સરકારી વિભાગોની જમીન છે,સાથે-સાથે મહાપાલીકાની જમીન તો છે જ..
-"જય"અને"વીરૂ" ની જોડી ની જમાવટ
સામાન્ય રીતે કોઇ ધંધો,રોજગાર,બાંધકામ,વિકાસ વગેરે કરવા માંગતા હોય તેઓ કોઇ " સક્ષમ" ને શોધે તેવી રીતે આ પેરીફેરીના દબાણ નો ચારે તરફ જે " વિકાસ" થયો છે,તે માટે "જય" અને "વીરૂ" ની જોડીની અથાગ જહેમત છે,કેમ કે પહેલા પોતાના લેવલે,બાદમા સ્વચ્છ છાપ ધરાવનાર પાસેથી અભયવચન મેળવવુ તે માટે "ચોક્કસ" પદ્ધતિથી ખાસભાર પુર્વકની ભલામણ કરાવી આપવી તે માટે ના "માથા" ફરતા રહે જેમનો ઉદય હોય ઝળહળતા હોય તેમની ઓથ લેવાય છે અને સમગ્ર અભિયાન ખુબ મોટા ટર્નઓવર સાથે અને સુવિધા,સવલત,લાભ સાથે અવિરત છે તેમ અનેક પરિમાણોથી અભિપ્રાય મેળવ્યા બાદ અનુમાન થાય છે.