Mysamachar.in-અમદાવાદઃ
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું. 162 મિનિટ ચાલેલા બજેટ ભાષણમાં સીતારમણે ગુજરાતને બે ખાસ ભેટ આપી છે. જેમાં અમદાવાદના લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવવાની તથા કચ્છ જિલ્લામાં આવેલા ધોળાવીરાને આર્કિયોલોજીકલ સાઈટ તરીકે રિડેવલપ કરાશે. આ સિવાય અમદાવાદમાં સમુદ્રી સંગ્રહાલય બનાવાશે, ગુજરાતમાં આવેલી ધોળાવીરાને આઇકોનિક સાઇટ તરીકે વિકસિત કરાશે. લોથલમાં મેરીટાઇમ મ્યુઝિયમ બનશે. લોથલનો ઉલ્લેખ હડપ્પા સભ્યતામાં એક પોર્ટ તરીકે છે, સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ડીમ્ડ યુનિવર્સિટી, ગુજરાતની ધોળાવીરા સહિતની દેશની પાંચ આર્કિયોલોજીકલ સાઈટને રિડેવલપ કરાશે, લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવાશે,
અમદાવાદ- મુંબઇ વચ્ચે વધુ હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે, તેજસ જેવી નવી ટ્રેન શરૂ કરાશે, આ નવી ટ્રેનોથી પ્રવાસન સ્થળોને જોડવામાં આવશે.લોથલના પૂરાતત્વીય અવશેષો અમદાવાદના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે બે કિલોમીટર દૂર આજે પણ ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતા ઉપલબ્ધ છે. અહીં ઉત્ખલન પ્રો.એસ.આર.રાવના આગેવાનીમાં ઈ.સ.1955-62 દરમિયાન થયેલું હતું. જેમાં આશરે ઈ.સ. પૂર્વે 2500-1900 વર્ષો જૂની હડ્ડપન સંસ્કૃતિના લોથલ બંદર ગામે અવશેષો મળ્યા હતા. ત્યાં કોટ એટલે કિલ્લો અને નગર એમ બંને હતાં એમ જણાયું હતું.