Mysamachar.in-જામનગર:
હાલમાં કોરોના વાયરસની મહામારીનો ભય ફેલાયેલો છે, ત્યારે દેશવ્યાપી લોકડાઉન અને સ્થાનિક કક્ષાએ 144 નું જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ચારથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, ત્યારે જામનગર પોલીસે છેલ્લા 24 કલાકમાં શહેર જીલ્લામાં તવાઈ બોલાવી દઈને વાહનો ડીટેઈન કરવાની તેમજ ચારથી વધુ એકઠા થનાર ટોળા વિરુદ્ધ ગુન્હાઓ દાખલ કર્યા છે, જેમાં કલમ 207 મુજબ 303 વાહનોને ડીટેઈન કરી લેવામાં આવ્યા છે, તો જાહેરનામાં ભંગની ફરિયાદો પણ 15 ઈસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે, આમ હજુ પણ જે લોકો જાહેરનામાની અમલવારી નહિ કરે તેની વિરુદ્ધમાં પોલીસ દ્વારા વધુ કડક પગલા આ મહામારીના સમયે ભરવામાં આવશે.
-જો વાહન થયું ડીટેઈન તો છૂટશે….
તમને ઘરની બહાર નીકળવાનું મન થાય અને જો પોલીસે તમને પકડી લીધા તો તમારું વાહન ડીટેઈન થશે, જો વાહન ડીટેઈન થયું તો હાલમાં આરટીઓ કચેરીની તમામ કાર્યવાહી લોકડાઉન સુધી બંધ છે તો તમારું વાહન લોકડાઉન બાદ જ તમારા હાથમાં આવશે, અને ત્યાં સુધી વાહન પોલીસના કબજામાં રહેશે, એટલે બને તો આ મહામારીને મ્હાત આપવા કોઈ ચોક્કસ કારણ ના હોય ત્યાં સુધી નીકળવાનું ટાળવું શહેરીજનોના હિતમાં છે.