Mysamachar.in-જામનગર
જામનગરમાં અનેક મુદ્દાઓ પર હરહમેશ લડત આપતા જાણીતા વકીલ ગીરીશ સરવૈયાએ વડાપ્રધાનને પત્ર લખી એસીબીની કાર્યરીતી અંગે હૈયાવરાળ ઠાલવી છે, સરવૈયાએ પી.એમ ને લખેલ પત્રમાં જામનગર ન્યાયતંત્રના એક કર્મચારી દ્વારા અવાર-નવાર લાંચની માંગણી સીધી કે આડકતરી રીતે કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો છે, અને તેમની પાસે પણ જામનગર ન્યાયતંત્રના એક સ્ટેનોગ્રાફરે લાંચની માંગણી કરેલ હતી.આ સ્ટેનોગ્રાફરને અગાઉ હું બે થી ત્રણ વખત લાંચ આપી ચુક્યો છું પરંતુ આ વખતે હું લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી મેં જામનગર એ.સી.બી. કચેરી ના પી. આઈ.નો સંપર્ક કરેલ હતો. અગાઉ આ જ કચેરીમાં મેં એક રેવન્યુ શાખાના કર્મચારી વિરૂધ્ધ લાંચ માગ્યાની ફરિયાદ નામ અને હોદા સાથે આપેલ હતી પરંતુ બીજા દિવસે છટકું નિષ્ફ્ળ નીવડેલ હતું, કેમકે આરોપીને અગાઉથી છટકાની જાણ થઈ ગયેલ હતી.
ભારતના લોકો ને હવે ફક્ત અને ફક્ત એક ન્યાયતંત્ર ઉપર જ વિશ્વાસ છે. એનો કર્મચારી જો ન્યાયતંત્રની ગરિમા જાળવતો ન હોય અને મારે તેને લાંચ આપવી ન હોય મેં એ.સીબી.ના ટોલ ફી નંબર પર સંપર્ક કરી નાયબ નિયામક દોશી સાહેબનો સંપર્ક કરેલ હતો. તેઓ ને પણ ફોનમાં લાંચ અંગે ની વિગતો જણાવેલ હતી, પરંતુ તેઓને પણ કર્મચારી નો હોદ્દો નામ તથા ડિપાર્ટમેન્ટ જણાવેલ ન હતા. જેથી તેઓએ મને ડિકોય ટ્રેપ બનવા માટે પણ તૈયાર હતો.
દોશી સાહેબ ઉપર વિશ્વાસ બેસતા વકીલે તેઓને ડિપાર્ટમેન્ટ નું નામ ન્યાયતંત્ર અને કર્મચારી સ્ટેનોગ્રાફર છે, તેનું નામ સહિતની વિગતો જણાવેલ હતી. પરંતુ ન્યાયતંત્ર નું નામ સાંભળતા જ દોશી સાહેબ પણ વિચારમાં પડી ગયેલ હતા અને આ છટકું ગોઠવતાં પહેલા ન્યાયાધીશની મંજૂરી લેવી પડે અને તેને જાણ કરવી પડે અને આ બાબતે મારે થોડી તપાસ કરવી પડે તેમ જણાવી બે થી ત્રણ દિવસ બાદ મને ફોન કરવાનું જણાવેલ હતું. આમ એક બાદ એસીબીના અધિકારીઓ નો સંપર્ક કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી અને અંતે વકીલે વડાપ્રધાનને પત્ર લખ્યો છે,
સરવૈયાએ વધુમાં લખ્યું છે કે ખરેખર વિચારવા જેવી બાબત તો એ કે સો પ્રથમ એસીબીએ મારી ફરિયાદ લેવી જોઈએ અને ત્યાબાદ તાત્કાલિક ફોન દ્વારા જાણ કે મંજૂરી કે પરિપત્ર કે આદેશ મુજબની કાર્યવાહી કરવાની થાય પરંતુ પી.આઈ.થી માંડી ને અધિક નિયામક સુધીના ને ફરિયાદ બાબતની જાણ કરવા છતાં આજ દિવસ સુધી ફરિયાદ પણ લેવામાં આવેલ નથી. જેથી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ જો આવી કોઈ જોગવાઈ હોય કે કોઈ પરિપત્ર કે આદેશ કરવામાં આવેલ હોય કે ન્યાયતંત્ર ના પરિસર માં લાંચ નું છટકું ગોઠવતાં પહેલાં જાણ કરવી પડે અને મંજૂરી લેવી પડે? અને જો આમ હોય તો ન્યાયતંત્ર ઉપરાંત અન્ય બીજા કોઈ ડિપાર્ડમેન્ટ ના ઉચ્ચ અધિકારી શું એવું ઇચ્છશે કે તેના ડિપાર્ડમેન્ટ નું નામ ખરાબ થાય? અને તેને જાણ નહીં થયા બાદ આક્ષેપિતને જાણ નહીં થાય તેની શું ખાત્રી ? તેમજ જયારે લાંચની માંગણી થાય પછી તરત જ પેમેન્ટ હોય તેમાં આટલો લાંબો સમયગાળો શેના માટે ? આમ જામનગરના વકીલે વિસ્તુત પત્ર પીએમ ને મોકલી પોતાની હૈયાવરાળ ઠાલવી છે.