Mysamachar.in-જામનગર:
જામનગર સહીત સૌરાષ્ટ્રમા આ વર્ષે મેઘરાજા મહેરકરી રહ્યા હોય તેમ રાજ્યના હવામાન વિભાગ દ્વારા હજુ પણ ત્રણ દિવસ ભારેથી અતિભારેવરસાદની આગાહી વચ્ચે આજે બપોરથી જામનગર શહેર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસીરહ્યો છે, તો ભારે વરસાદને લઈને લાલપુર નજીક સણોસરી નદી નજીક ગાડી બંધ થઇ જતા ૧૦વર્ષની બાળકીનું તણાઈ જતા મોત નીપજ્યું છે, આજે સવારે ૬:૦૦ થી સાંજે ૬:૦૦ સુધીમાં જિલ્લામાં વરસેલાવરસાદના આંકડાઓ પર નજર કરીએ તો..જામનગર શહેરમા બે ઈંચ, જામજોધપુરમા બે ઈંચ, ધ્રોલઅને જોડિયામા અઢી ઈંચ જયારે લાલપુર અને કાલાવડમાં અડધો અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.