Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
પહેલા વિદેશ અને હવે ભારતમાં અને ત્યારબાદ હવે ધીમી ધીમે કોરોના વાયરસનો પ્રકોપ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો હોય તેમ ચાર દિવસમાં ૧૮ પોજીટીવ કેસો નોંધાયા છે, અને સુરતના એક ૬૭ વર્ષીય વૃદ્ધાનું પણ મોત અત્યારે નોંધાયું છે એવામાં થોડા દિવસો પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને આજે એટલે કે રવિવારે જનતા કરફ્યું ની અપીલ કરી હતી, અને તેની અસર ગુજરાતની સાથોસાથ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જબ્બર જોવા મળી છે, આજે સવારથી આ લખાય છે ત્યાં સુધી એટલે કે ૩:૫૦ વાગ્યા સુધી જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં તમામ દસેય તાલુકા મળીને ખુબ જ પ્રબળ અસર જનતા કરફ્યુંની જોવા મળી છે, ત્યારે તંત્ર પણ આ વાયરસ લોકો સુધી પહોચતો અટકે તે માટે સઘન પ્રયાસો કરી રહ્યું છે.જે કાબિલેદાદ છે.