Mysamachar.in-જામનગર:
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને મધ્યાન ભોજન યોજનાના ભોજન પરિવહન અંગે નો એક મામલો તાજેતરમાં જ સામે આવ્યો હતો, એટલુ જ નહી. રીક્ષાઓમાં મધ્યાન ભોજન ખુલ્લા ડબ્બામાં શા માટે રાખવામાં આવે છે. ઢાંકણા બંધ કરવામાં શા માટે નથી આવતા તે અંગે ખુલાસો પણ પુછવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખુલ્લા ડબ્બામાં મધ્યાન ભોજન પરિવહન કરીને પીરસવાથી વિદ્યાર્થીઓના આરોગ્ય ઉપર ગંભીર અસર પડે છે પરંતુ ગંભીરતા ન લેવાતા તપાસના આદેશો છુટયા હતા. ભૂતકાળમાં કેટલીય વખત એવા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે કે મધ્યાહ્ન ભોજનમાં પીરસવામાં આવતો ખોરાક ખાવાલાયક હોતો નથી,
પરંતુ જામનગર શહેર અને જિલ્લામા તેમજ દ્વારકા જિલ્લાના તમામ મધ્યાહન ભોજન કેન્દ્રો ચેક કોણ કરે છે? કેમકે સરકારે નક્કી કરેલા મેનુ મુજબ બાળકોને ભોજન અપાય છે? ભોજનના નમુના ફુડ વિભાગ લઇ ચેક કરે છે? મધ્યાહન ભોજન ના તમામ સ્ટાફ તંદુરસ્ત છે? શુદ્ધતા અને ચોખ્ખાઇ જળવાય છે? તમામ બાળકોને ભોજન મળે છે? આવા અનેક સવાલો વચ્ચે જોઇએ તો સ્ટાફ પુરતા હોવા છતા એકલ દોકલ બધુ જ કામ આટોપી લેતા હોવાનુ અને લગત કચેરીઓમા પણ કાયમી ના બદલે કોઇ મધ્યાહન ભોજન સંચાલક "વહીવટ" ચલાવતા હોવાની બૂમ ઘણી જગ્યાએ થી નિયમિત ઉઠતી રહે છે તે બાબતે પગલા લેવાશે?