Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે દરરોજ કેટલા કેસો ગુજરાતમાં સામે આવ્યા તેની માહિતી રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિરવિ પત્રકાર પરિષદ સંબોધીને આંકડાકીય માહિતી સામે મુકે છે, ત્યારે આજે તેવો એ જણાવ્યું કે રાજ્યમાં કોરોના પોજીટીવ કેસનો આંકડો રાજ્યમાં 122 સુધી પહોચ્યો છે, જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે, અને અત્યારસુધીમાં કોરોના પોજીટીવને કારણે રાજ્યના 11 દરદીઓના મોત થઇ ચુક્યા છે, ક્યાં જીલ્લામાં કેટલા કેસો છે તેની પર નજર કરીએ તો અમદાવાદ 53, સુરત 15, ગાંધીનગર 13, ભાવનગર 11, રાજકોટ 10, વડોદરા 10, પોરબંદર 3, ગીરસોમનાથ 2, જયારે કચ્છ, મહેસાણા, પંચમહાલ, પાટણ અને છોટા ઉદેપુરમાં એક એક કેસો સામે આવ્યા છે. ત્યારે હજુ પણ સાવધાની એ જ ઉપાય હોય તેમ લાગી રહ્યું છે.