Mysamachar.in-જામનગર:
જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં આવેલા પલટાને પરિણામે દિન-પ્રતિદિન સૂર્યનો પ્રકોપ વધતો જાય છે જેના પરિણામે બે ડિગ્રીના વધારાની સાથે આજે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી નોંધાયું છે, જ્યારે ભેજના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે પરંતુ પવનની ગતિમા વધારો થતા બપોરના સમયમાં લોકોએ લુ જેવા પવનનો અહેસાસ કર્યો હતો, જામનગરમાં ગઈકાલે ૩૬ ડિગ્રી તાપમાન રહ્યું હતું પરંતુ આજે વહેલી સવારથી જ સૂર્યનારાયણનો પ્રકોપ આકરો રહેતા બપોર સુધીમાં લોકોએ ઉનાળા જેવી કાળઝાળ ગરમીનો અહેસાસ કર્યો હતો સાથોસાથ લુ જેવા ગરમ પવન અનુભવ પણ કર્યો હતો,
જામનગર ડીઝાસ્ટર કચેરીમાં આજનું મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 22.5 ડિગ્રી અને ભેજનું પ્રમાણ ૭૯ ટકા રહ્યું હતું તેમજ પવનની ગતિ પ્રતિ કલાકના ૨૫ થી ૩૦ કિલોમીટરની રહેવા પામી હતી, છેલ્લા ત્રણ દિવસના સમયમાં મહત્તમ તાપમાનમાં છ થી સાત ડિગ્રીનો વધારો થવા પામ્યો છે. અને આગામી દિવસોમાં તાપમાનનો પારો ૪૦ થી ૪૨ ડિગ્રી સુધી રહેવા પામે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે, શહેરના લોકોએ સવારે ૧૧ થી સાંજના પાંચ વાગ્યા સુધી ઘરની બહાર લોકડાઉન વચ્ચે જરૂર હોય તો પણ નીકળવાનું ટાળ્યું હતું જેના કારણે શહેરના મોટાભાગના રાજમાર્ગો સુમસામ જોવા મળ્યા હતા.