Mysamachar.in-જામનગર
વિશ્વભરમાં કોરોનાની મહામારી વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા lockdown ના એલાનના એક સપ્તાહ બાદ જામનગરના પ્રદૂષણના પ્રમાણમાં મસમોટો ઘટાડો નોંધાયો છે, અને તેની સાથો-સાથ પેટ્રોલ-ડીઝલનો વપરાશ પણ 80% થી વધુ ઘટવા પામ્યો છે આ બાબતને તજજ્ઞો સારી વર્ણવી રહ્યા છે, જામનગરવાસીઓએ lockdown ના એલાનના પગલે વડાપ્રધાનની ઘરમાં રહો સુરક્ષિત રહોની તાકીદને ધ્યાને લઇ માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા સિવાય બહાર નીકળવાનું મુલતવી રાખતાં માત્ર સાત દિવસમાં તેનું પરિણામ સામે આવ્યું છે,
દેશના મેટ્રો સિટીની જેમ જામનગરમાં પણ પ્રદૂષણનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું હતું તેને અંકુશમાં લાવવા તંત્ર દ્વારા કવાયત પણ હાથ ધરવામાં આવી હતી દરમિયાન કોરોનાની મહામારી દેશમાં વધુ વકરે નહીં તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્ર જોગ પ્રવચનમાં દેશમાં ૨૧ દિવસ lockdown જાહેર કર્યું હતું સાથોસાથ તેઓએ આ મહામારી થી સલામત રહેવા લોકોને ઘરમાં રહેવાની તાકીદ કરી હત, જામનગરના લોકોએ સ્વયમભૂ તેમજ વહીવટી તંત્રના નેજા હેઠળ દર્શાવવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી ઘરમાં રહેવાનું સમજ્યું હતું લોકોની અવર જવર નું પ્રમાણ ઓછું થવાની સાથે શહેરમાં આવેલ ઔધીગિક એકમો બંધ થઇ જવા, ધ્વની પ્રદુષણ, હવાપ્રદુષણ, સહિતના પ્રદૂષણની માત્રામાં પણ ઘટાડો નોંધાય તે સ્વાભાવિક છે,
જ્યારે બીજી બાજુ શહેરના પેટ્રોલપંપો પર લોકોની અવર જવર ઓછી રહેવાની સાથે પેટ્રોલ-ડીઝલના વપરાશમાં 80 % થી વધુ ઘટાડો થવા પામ્યો છે જેના પગલે શહેરના વાતાવરણમાં પણ નોંધનીય ફેરફાર લોકો અનુભવી રહ્યા છે, આગામી દિવસોમાં પણ લોકો આ નિયમોનું પાલન કરે તો કોરોના જેવી મહામારીને નેસ્ત નાબુદ કરી શકાય તેમાં બેમત નહિ હોવાનો દાવો પણ જાણકાર લોકો દર્શાવી રહ્યા છે, આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સાથે સંકલન કરીને ફાયર બ્રિગેડ દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ પર અને જ્યાં લોકોની વધુ અવરજવર હોય ત્યાં પણ ખાસ દવાઓ નો છંટકાવ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત લોકોને વધુ ને વધુ સાવધાન રહેવા તાકીદ કરવામાં આવી રહી છે.