Mysamachar.in-
જામનગરમા ઠેર-ઠેર ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો તોડવામાં " શિયાળ તાણે સીમ ભણી ને કુતરૂ તાણે શહેર ભણી" જેવો ઘાટ ઘડાયો છે, જેનો એસ્ટેટ આનંદ લે છે કેમ કે એક જુથ આ અંગે પગલા લેવાની તરફેણમા છે, તો બીજુ જુથ પગલા ન લેવાની જોરદાર તરફેણ કરે છે. જોકે આ બંને બાબતો પાછળ અકળ અને સબળ કારણો છે.કેમકે તરફેણ અને વિરોધ પાછળ કોઇ ને કોઇ હેતુ કે હિત સમાયેલુ હોય છે. મહાનગરપાલીકામા લાંબા સમયથી ગેરકાયદેસર બાંધકામ કે દબાણ ના રક્ષણ માટેની સીસ્ટમ એસ્ટેટમા અમલમાં છે…તે સૌ જાણે છે તો તેની સામે આવા અનઅધીકૃત ખડકલાના અનેક કારણોસર વિરોધ કરનારા એમ બે જુથો અમલમા રહે જ છે. તે ઉપરાંત બચાવનાર જુથ પણ છે અને આ દરેકમાં થી ગજવા ભરનાર પણ છે. પણ એસ્ટેટ ધારે તો ટીપીઓના હુકમ બાદ ગેરકાયદેસર તોડપાડ આરામથી કરી શકે છે, પણ નથી કરતી શા માટે .?
ગેરકાદેસર બાધકામ કરનારાઓએ એક યા બીજા પ્રકારે રોયલ્ટી ચુકવવી પડે છે, અથવા કંઇ લાભ આપવો કે અપાવવો પડે છે અથવા પીઠબળ રજુ કરવુ પડે છે. ત્યારે દેખીતુ છે કે જેમને પ્રત્યક્ષ કે પરોક્ષ કે અન્ય કોઇ ફાયદા લીધા હોય કે લેવાના હોય તેવા લોકો ગેરકાયદેસર બાંધકામની તરફેણ કરે તે સ્વાભાવિક છે તેમજ બીજી બાજુ આવા બાંધકામ દુ્ર કરવા જોમથી રજૂઆત કરનારાઓમાંથી અમુક ની પેટ ની ચુંક અલગ કારણોથી હોય છે, પરંતુ અત્યાર સુધી થયુ છે એવુ કે " રક્ષણ" અપાવનારા વધુ મજબુતાઇથી જમાવટ કરી રહ્યા છે કેમકે આ "રક્ષણ " નુ ટર્ન ઓવર મોટુ છે. માટે જ્યારે જ્યારે પગલા લેવાની હલચલ થાય ત્યારે સતાક્ષમા પણ એકસૂર નથી હોતા અંદરો અંદર ખેંચતાણ શરૂ થઇ જાય છે, અને વિરોધપક્ષે પણ ઘણી વખત કશુ કરવુ પડતુ જ નથી કેમકે આ અંદરો અંદર " શિયાળ તાણે સીમ ભણી અને કુતરૂ તાણે શહેર ભણી" જેવો ઘાટ ઘડાય છે.
-જે ડીમોલીશન કર્યા ત્યા હવે શું છે?
મહાપાલીકા માટે એમ તો "રક્ષિત" નથી હોતા તેવા કે ના છુટકે એકલદોકલ બાંધકામ તોડવા પણ પડે છે તેમાંય રોડ દબાણ ,ટી.પી.સ્કીમ ની જગ્યામા દબાણ હોય તેમાંથી અમુક તોડવા પડ્યા છે પરંતુ ત્યારબાદ ત્યા શુ સ્થિતિ છે? છેલ્લા પાંચ વર્ષમા થયેલા ડીમોલીશનમાંથી દરેક જગ્યા હાલ પણ ખુલ્લી હોય તેવુ માનવાને કારણ નથી બીજી તરફ ડીમોલીશન એ શુદ્ધ ફરજના ભાગ રૂપે દરેક વખતે નથી હોતા કેમકે કાંતો તે દબાણ કરનાર ને ચમત્કાર બતાવવાનો હોય છે કાંતો જુજ કામ દર્શાવી માનીતા કે અણમાનીતા ઓ ને સંદેશો આપવાનો હેતુ પણ હોઇ શકે તેવુ વિશ્ર્લેષકોનુ તારણ છે.