Mysamachar.in-જામનગર:
આજથી રાજ્યના અન્ય શહેરોની જેમ જામનગર શહેરમાં પણ લગાવવામાં આવેલ ૩૫૦ થી વધુ સીસીટીવી કેમેરાઓથી ગુન્હાખોરીની સાથે સાથે ટ્રાફિકનિયમનનો ભંગ કરનાર વાહનચાલકોને પણ દંડવામાં આવશે, એટલે કે આજથી શહેરમાં જે કોઈ વાહનચાલક નિયમનો ભંગ કરશે તેના ઘરે ઈ-મેમો પહોચશે અને વાહનચાલકે દંડ ભરવો પડશે, સારી બાબત છે નિયમો તોડનાર વાહનચાલકોને દંડ કરવો યોગ્ય છે,પણ શહેરના કેટલાક જાગૃત નાગરિકોએ સવાલો ઉઠાવતા કહ્યું કે..દંડ ભરવાથી વાંધો નથી પણ પેહલા સુવિધાયુક્ત શહેર હોવું જોઈએ,અને તેના માટે માત્ર પોલીસવિભાગ જ જવાબદાર નથી, મહાનગરપાલિકાની પણ એટલી જ જવાબદારી છે. ત્યારે કેટલાક જાગૃત નાગરિકો તરફથી મળેલા સવાલો અહી ટાંક્યા છે, તેના પરથી જો મનપા કે પોલીસવિભાગ કાઈ કરવા માંગે તો તે પ્રજાહિતમાં રહેશે
-શું શહેરમાં નિયતસ્થળોએ પાર્કિંગ પ્લેસ છે,
-શું શહેરના તમામ કોમર્શીયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગનો વાહન પાર્કિંગ માટે જ ઉપયોગ થાય છે.
-શું શહેરના જાહેરરસ્તાઓ પર રેકડી સહિતના પથારાઓ છે તે દુર થશે.
-શું ગેરકાયદેસર બાંધકામો ને કારણે રસ્તાઓ ટૂંકા થઇ રહ્યા છે તેના પર કાર્યવાહી થશે
-શું તમામ ટ્રાફિક સિગ્નલો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે, સિગ્નલો પ્રમાણે જ ટ્રાફિક ચાલે છે
-શું ટ્રાફિકશાખા પાસે પુરતું મહેકમ છે
-જરૂરી તમામ જગ્યાઓ પર સ્પીડબ્રેકરો છે
-શું વનવેની અમલવારી દરેક જગ્યાએ થાય છે
-શું શહેરના રસ્તાઓ યોગ્ય છે ખરા.?
-જાહેરરસ્તાઓ પર થતી ખાનગી બસોનું પાર્કિંગ દુર થશે
-નો હોકિંગનો ઝોનનો અમલવારી થવી જોઈએ
-ભારે વાહન પ્રવેશબંધી ની અમલવારી થવી જોઈએ
-શહેરમાં ચાલતી ઓવરલોડ રીક્ષાઓ પર કેમેરાનું નિયંત્રણ હશે
-શાળાઓમાં ચાલતી સ્કુલવાનમાં ઘેટા બકરાની જેમ બેસાડવામાં આવતી સ્કુલવાનો પર નિયંત્રણ આવશે