Mysamachar.in-જામનગરઃ
રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા ધ્રોલ નજીક સોયલ ગામ પાસે ઇકો કાર પલટી મારી જતાં ચારનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. પ્રાથમિક વિગત પ્રમાણે ઇકો કારમાં કુલ પાંચ વ્યક્તિઓ સવાર હતા, જેમાંથી ચારના મોત નીપજ્યાં છે. ઇકો કારના ડ્રાઇવરને ઝોંકુ આવી જતા આ અકસ્માત સર્જાયાનું કહેવામાં આવી રહ્યું છે. તો મૃતકોમાં તમામ જામજોધપુરના રહેવાસી હોવાનું અને હોસ્પિટલના કામ અર્થે રાજકોટ જઈ રહ્યાનું સામે આવે છે, ઘટના બાદ ગામલોકો અને પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો, તો ઘાયલોને સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી.