Mysamachar.in-જામનગર
જામનગરમાં કોરોના ઇફેક્ટના પગલે PGVCL ના કર્મચારીઓની તકેદારીને ધ્યાને લઇ સરકારના આદેશ અનુસાર જામનગરના શહેરીજનોને ઓફિસે નહીં આવી ઓનલાઇન સેવાનો લાભ લેવા તેમજ કર્મચારીઓને પચાસ ટકા ફરજ પર હાજર રહેવા અધિક્ષક ઇજનેર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર એ.કે.મહેતાની સૂચનાથી શહેરમાં કોરોનાવાયરસ ને મહામારી સામે લડી લેવા ચુસ્તપણે અમલવારી કરવામાં આવી રહી છે અને આ વાયરસ વધુ ફેલાય નહીં તે માટે પીજીવીસીએલના કર્મચારીઓને 50 ટકા હાજરી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,
એક કર્મચારીને એક દિવસ રજા અને એક દિવસ ફરજ પર રહેવાની સૂચના આપવામાં આવી છે, જેથી કચેરીઓમાં વધુ ને વધુ લોકોની સંખ્યા એકત્રિત થાય નહિ અને આ મહામારીમાં સાવચેતી દાખવી શકાય તે માટે સરકારના આદેશ અનુસાર તેની અમલવારી કરવામાં આવી રહ્યાનું અધિક્ષક ઈજનેરે માય સમાચારને જણાવ્યું, આ ઉપરાંત શહેરીજનોને પણ પીજીવીસીએલ ની કચેરીએ નહીં આવી ને ઓનલાઇન સેવાનો વધુ ને વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે પીજીવીસીએલ ની ઓફિસમાં કોરોના ઇફેક્ટ ના પગલે વધુ ભીડ એકઠી ન થાય તે માટે સલામતીના ભાગરૂપે આવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે.