Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમા એલઈડી લાઈટનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચામાં રહ્યો છે,અને એમાંય છેલ્લા કેટલાક દિવસોથી થી શહેરના કેટલાય વિસ્તારોમા અંધારપટ્ટ છવાઈ ચુક્યો હોવા છતાં તંત્ર દ્વારા નક્કર કાર્યવહી કરવામાં ના આવતી હોય આજે જામનગર કોંગ્રેસના કાર્યકરો દ્વારા માથા પર ટોર્ચ લાઈટ બાંધીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, હાલમાં એક બાજુ હિન્દુ લોકોનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયેલ હોય આગામી દિવસોમાં સાતમ-આઠમના, નાની-નાની બાળાઓના જાગરણ વગેરે આ મહિનાના અનેક તહેવાર પણ આવતા હોય જામનગર શહેરની સ્થિતિની વાત કરીએ તો સમગ્ર શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં અંધારપટ છવાયેલ હોય,અને એક બાજુ વરસાદની પણ સીજન હોય અને લાઇટના અવાર-નવાર ધાંધીયા હોય જેના લીધે જામનગર પ્રજા ત્રાહિમામ થઈ ગયેલ હોય જેના લીધે ધંધાદારીઓ સહિતના લોકોને રાત્રિના સમયે અનેક સમસ્યાનો સામનો કરવો છે,
ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકામાં શાસકોની અણઆવડતને લીધે શહેરમાં અંદાજે 1200 થી 1500 ફરિયાદ પેન્ડિંગ છે. છેલ્લા 1 માસથી ઓનલાઈન ફરિયાદ કરતાં શહેરીજનોને બીજા દિવસે મેસેજ મળી જાય છે કે તમારી ફરિયાદનો નિકાલ થઈ ગયેલ છે.આમ જામનગર અંધેરી નગરીનું બિરુદ પણ આપવામાં આવે તો નવાઈ નહીં.લાઇટ, સફાઈ અને આરોગ્ય જેવી આવશ્યક સેવા આપવામાં વર્તમાન શાસકો, સદંતર નિષ્ફળ ગયેલ હોવાનો આક્ષેપ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે,ગત જનરલ બોર્ડમાં મેયરની ખાત્રી બાદ આજે જામનગર શહેરની અંદાજે 1200 થી 1500 એલ.ઇ.ડી. લાઈટો બંધ હોય જે દિવસ-7ની અંદર નિકાલ કરવામાં નહીં આવે તો વિશાળ લોક હિત ખાતર લાઇટ શાખા તથા આરોગ્ય શાખાને તાળાબંધી કરી.જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.