Mysamachar.in-જામનગર:
પોલીસનું કડક વલણ છતાં પણ જામનગરમાં છાસવારે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, ધાકધમકી કે પછી માર મારવાના બનાવો સામે આવતા રહે છે, એવામાં વધુ એક ફરિયાદ બે વ્યાજખોર શખ્સો સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે, શહેરના નંદનવન સોસાયટીમાં વસવાટ કરતા ભરત મકવાણા નામના વ્યક્તિએ ગોકુલનગરમાં વસવાટ કરતા મેરા આહીર પાસેથી ૫૦,૦૦૦ અને રણજીતસાગર રોડ પર રહેતા શિવુભા ઝાલા પાસેથી ૧.૧૦ લાખ આજથી દોઢેક વર્ષ પૂર્વે વ્યાજે લીધેલા હતા, જેનું વ્યાજ અને મુદ્દલ બને ફરિયાદી ભરત મકવાણાએ આપી દીધું હોવા છતાં પણ મેરા આહીર અને શિવુભા ઝાલા રૂબરૂ અને ફોન દ્વારા અવારનવાર ભરત પાસેથી પૈસાની માંગણી કરી અને પઠાણી ઉઘરાણી કરવા ઉપરાંત જાતી પ્રત્યે અપમાનિત કરતા હોય જે સતત ત્રાસથી ભરતને લાગી આવતા તેને ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યાની ફરિયાદ બન્ને શખ્સો સામે નોંધાતા ડીવાયએસપી એસ.સી.એસટી સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.