Mysamachar.in-જામનગર:
જામનગર એસટી ડીવીઝન હેઠળ એટીઆઈ તરીકે ફરજ બજાવતા એક કર્મચારીએ ગઈકાલે બપોરે કાલાવડ નાકા નજીક આવેલ એસ.ટી.ડીવીઝન કચેરી ખાતે ભોજન લીધા બાદ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો,જે બાદ તેને હાજર અન્ય સ્ટાફ દ્વારા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે,આપઘાતનો પ્રયાસ કરનાર રઘુવીરસિંહ પરમારે બે પાનાની સ્યુસાઈડ નોટ પણ લખી હતી જેમાં એસટીના વિભાગીય નિયામક સહિતના લોકો સામે માનસિક ત્રાસ આપવા સાથે કિન્નાખોરી રાખવામાં આવી રહ્યાના આક્ષેપો કર્યા હતા,
આપઘાતનો પ્રયાસ કરનાર રઘુવીરસિંહની સારવાર દરમિયાન પોલીસે નિવેદન લઇ અને એસટી વિભાગ જામનગરના વિભાગીય નિયામક એમ.બી.રાવલ હિતેશ કોટેચા અને મિલન રાઠોડ વિરુદ્ધ રઘુવીરસિંહ ને શારીરીક અને માનસિક ત્રાસ આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાતા આ મામલે જામનગર એસટી વિભાગમાં ભારે ચકચાર જગાવી દીધી છે.