Mysamachar.in-જામનગર
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જામનગર શહેરમાં પણ ખુબ મોટી અસર લોકડાઉનની જોવા મળી રહી છે, અને જે પાલન નથી કરતા અને એકલ દોકલ ઘરની બહાર નીકળે છે, તેને પોલીસ લોકડાઉનનું પાલન કરાવી રહી છે, સાત લાખ ઉપરાંતની વસ્તી ધરાવતા આ શહેરમાં અવિરત લોકોની દોડધામ જોવા મળતી હોય છે, પણ લોકડાઉનને પગલે શહેર થંભી ગયું છે, અને તેની ખુબ જરૂર પણ હતી અને લોકો પણ સહકાર આપી રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોનાવાયરસની મહામારીને અટકાવવા ૨૧ દિવસ દેશભરમાં lockdown જાહેર કરાયું છે, તેનું જામનગરમાં પણ ચુસ્તપણે પાલન થઇ રહ્યું છે, અને આકાશી દ્રશ્યો તેની ગવાહી પૂરે છે,
જામનગરમાં lockdown ના દિવસો જેમ-જેમ પસાર થતા જાય છે તેમ- તેમ સતત ૨૪ કલાક ધમધમતુ જામનગર શહેર દિવસે દિવસે સુમસામ બનતું જાય છે, શહેરમાં વહીવટી તંત્ર દ્વારા લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે, શહેરભરમાં બહુમાળી ઈમારતોના કામકાજો, ઓવરબ્રિજના કામકાજો, જાહેરમાર્ગો બનાવવાની કામગીરી સહિતના દરેક કામકાજોને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ થંભાવી દેવામાં આવ્યા છે, તેમજ શહેરની મુખ્ય બજારો શાકમાર્કેટ, સુપરમાર્કેટ, મોલ સિનેમાઓ સહિતની બજારોમાં સતત લોકોની અવરજવર રહેવા પામી હતી તેને પણ કોરોના વાયરસના પગલે અટકાવી દેવામાં આવી છે, જેથી આ સ્થળો પણ સૂમસામ બન્યા છે
ત્યારે આજના યુવાનોમાં તેમજ મોટી ઉંમરના લોકોમાં શોલે ફિલ્મના એ ડાયલોગ યાદ કરી એટલું તો જરૂર બોલે છે કે ઇતના સન્નાટા કયું હે ભાઈ… તેવા સમયે ફિલ્મના દ્રશ્યો સામે આવી જાય છે, પરંતુ વાસ્તવમાં એના કરતાં પણ વધુ ભયાનક છે કોરોના વાયરસ…અને તેને અટકાવવા સન્નાટાની આપણે ખૂબ જ જરૂર છે, અને સૌના સાથ સહકારથી આ વાયરસને નાથવામાં સફળ થઈશું તેવા ધ્યેય સાથે “ઘરમાં રહો સલામત રહોનું” સૂત્ર સાર્થક સૌ કરીએ તે ખૂબ જ જરૂરી છે, આવો જ સન્નાટો અવિરત જારી રાખી ૨૧ દિવસની આ સેવાયાત્રાને અદભુત સફળતા આપી ગુજરાતમાંથી અને જામનગરમાંથી કોરોનાનું નામોનિશાન મીટાવવા સરકાર દ્વારા જારી કરવામાં આવતા નિયમોનું ચુસ્તપણે અમલ કરી ઘરમાં રહી સાવધાની રાખીએ તે ખૂબ જરૂરી બન્યું છે.