Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલના સમયમાં દરેક બાબતોનું સુખ દરેક લોકોને હોતુ જ નથી અને એવું શકય પણ નથી ત્યારે નાની-મોટી સમસ્યાઓ હલ કરવા માટે જોવાવાળા ઉપર ભરોસો રાખનારો વર્ગ બહુ મોટો છે, અને ધીમે ધીમે જોવાવાળાની જાળમાં ફસાઇ ઘણી વખત બરબાદ થાય, નુકસાન થાય, આર્થિક ઘસાય કે કયારેક શોષણના ભોગ અને તેવુ ખુબ થાય છે. આવા સંજોગોમાં જાણીતા અને પ્રતિષ્ઠિત તેમજ ખરેખર અભ્યાસુ-તજજ્ઞ-ડીગ્રી ધારક જ્યોતિષીઓ, વાસ્તુશાસ્ત્રીઓ સમાજના હીતમાં આગળ આવે તે જરૂરી છે, કેમ કે આવા જોનારાઓના સકંજામાં મહીલાઓ વધુ ફસાય છે, તેમાંય વશીકરણ માટે તો હાલ હાલારમાં અન્ય પ્રદેશોની જેમ જાણે સીઝન નીકળી છે અને મહીલાઓને આસાનીથી ફસાવી તેના ગેરલાભ લેવાતા હોવાનું પણ અનેક વિસ્તારોમાંથી સર્વેક્ષણ કરતા જાણવા મળ્યુ છે.
ફોટા ઉપર, નંબર ઉપર, નામ ઉપર વશીકરણ પોતે પ્રગતિ કરે કે ન કરે બીજાને થાય છે જેનો ગેરલાભ આવા લેભાગુ જોનારા લીધે જે આરામથી કરે છે, આવો તમારા સાસુ, સસરા, નણંદ, જેઠ, જેઠાણી, સસરા, પાડોશી, સગા, દુશ્મન, નડનારા પ્રતિ, પત્નિ કોઇપણના ફોટા ઉપરથી, તેના મોબાઇલ નંબરથી, નામ ઉપરથી વશીકરી કરી આપશુ એ ધુળ ચાટતા થઇ જશે અથવા બે હાલ થઇ જશે અથવા તો બિમાર પડી જશે અથવા તો પૈસે ટકે બેહાલ થઇ જશે અથવા તો સાવ પથારીવશ થઇ જશે અમુક કિસ્સામાં આવુ બને પણ છે માટે નિર્દોષ લોકો આકર્ષાય છે.
કોઇનીય પ્રગતિ રોકવા કે કોઇનેય પોતાના કરવા માટે આવા સુકાના ઉપયોગ કરવાવાળા, કરાવનારાઓનો તોટો નથી તેમાંય ખાસ કરીને પ્રેમ પ્રકરણો (પ્રેમ તો ખરેખર હોય કે નહી)માં આવુ વધુ બને છે કહેવાતા પ્રેમ કે ક્ષણીક આવેગોના કારણે મળેલા બાદમાં બીજા લોકો સાથે જોડાયેલાઓ ઉપર ગુસ્સો ઉતારવા સુરક્ષાઓ કરવા-કરાવવા હોડ જામે છે મરે ત્યાં સુધી કે પતિ-પત્નિને કોઇ વજાતીય પાત્રો સાથે સંબંધ હોય તો તે તોડવા પતિ-પત્નિઓ આવા સુટકા અજમાવે છે.
-ટુંકા માર્ગ કયારેય સફળ ન થાય
આવી ઘેલછામાં અટવાતા લોકોએ એ જાણી લેવુ જોઇએ કે ટુંકા માર્ગો કયારેય સફળ થતા નથી કોઇ સાથે અણગમો હોય તો સીધી જ વાત કરી સંબંધ પુરા કરો અને બીજા લોકોની પ્રગતિ રૂંધવાને બદલે આપણા વિકાસની ગતિ કેમ આગળ વધે તેમાં સમય-શકિત-નાણાનો સદઉપયોગ કરવો એ સમયની માંગ છે નહી તો આવા લેભાગુઓ દાણા-દુણી આપી, ભભૂત-દોરા આપી, બાધા-આખડી કરાવી વધુ હેરાન કરશે. તેની સામે જાણીતા ધર્મ સ્થાનો, સુપ્રસિઘ્ધ સંતો, જાણકાર જ્યોતિષીઓનું સાચુ માર્ગદર્શન-શરણ વ્યાધી દૂર કરવા ઉપયોગી બને છે.
-મહિલાઓના શોષણ મૂંગા મોઢે સહન થાય છે
આવા લેભાગુ તત્વો મોટાભાગે શુઘ્ધ ચારીત્ર્યના કે મર્યાદાના પાલન કરવાવાળા ઓછા હોય તે સ્વાભાવીક છે જાક જમાળ કરીને બેસવાવાળા આવા લોકોમાં મહિલાઓ ભોળપણના કારણે તુરંત આકર્ષાય જાય છે અને ઉપરથી, તારે જાણીને શું કરવુ છે, રસ્તો જઇ જશે, એવી ખાત્રીઓ તો મહિલાઓને જાણે ભગવાન બોલ્યા તેમ માની કયારેક ભુલથી પોતાનું સર્વસ્વ આવાઓને સોંપી બેસી બાદમાં પસ્તાય છે. ખરેખર શ્રેષ્ઠ અને સાચા તેમજ નિયમીત પૂજા-પાઠ થતા હોય તેવા મંદિરના દર્શનના ક્રમથી પણ ઉર્જા મળી રહે પરંતુ કોણ જાતે કેમ લોકો ઉંધા રસ્તા અપનાવે છે?