Mysamachar.in-જામનગર:
જામનગર શહેર સહિત રાજ્યના શહેરી વિસ્તારોમા એક તરફ હેલમેટ વગરના સ્કુટર કે બાઇક સવારો ઉપર રીતસર પોલીસ એક તબક્કે તૂટી પડી હતી, અને શહેરી વિસ્તારોને હેલ્મેટમાંથી મુક્તિની રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવી છે, ત્યારે સવાલ એ થાય કે હવે ગ્રામીણ વિસ્તારમાં હેલ્મેટની અમલવારીનું શું.? એક વાસ્તવિકતા એ છે કે જામનગર જિલ્લાના ગામડાઓમા આંતરિકમાર્ગ ધોરી માર્ગ વાડી માર્ગ વગેરે ઉપર પોલીસનુ કોઇ હેલમેટ સહિત ટ્રાફિકનુ ચેકીંગ કે નિયમન કંઇ નથી જો નાગરીકોનિ સલામતિની ચિંતા હોય તો ગામડાઓમા પણ ચેકીંગ શા માટે નહી? તેમ જાણકારોમા સવાલ ઉઠ્યો છે,. હેલ્મેટના નવા કાયદા અંગે ગુજરાતમાં અગાઉ ભારે વિરોધ ઉઠયા બાદ સોશ્યલ મીડીયામાં ભારે મારો ચલાવવામાં આવ્યો હતો અને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવા સામે અંતે સરકારે મુકિત આપવી પડી છે.