Mysamachar.in-જામનગર:
શહેર જિલ્લા સહિત સમગ્ર હાલાર પંથકની ખાનગી શાળાઓના દરેક શિક્ષકોના પ્રોફાઇલ અને પગાર જાહેર કરાવવા ની બુદ્વીજીવીઓમા માંગ ઉઠી છે, પરંતુ અનેક ખાનગી શાળાઓ સાથે જામનગર જિલ્લા શિક્ષણ તંત્રની મિલિભગત હોવાથી આ બાબતો જાહેર થતી નથી. પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા પીટીસી, બીએડ વગેરે અભ્યાસક્રમવાળા શિક્ષકો હોવા જોઇએ પરંતુ મોટાભાગે તે મુજબ નથી તે જામનગર અને દ્વારકા જિલ્લા શિક્ષણ અધીકારી ને ખબર જ છે તેમ છતા પગલા લેવાતા જ નથી તે સાંઠગાંઠ નહી તો બીજુ શુ?
લાયકાત વગરના શિક્ષકો શું શિક્ષણ આપતા હશે.? તે સવાલ ચિંતાજનક છે પરંતુ ડિ ઇ ઓ ને તે ચિંતા નથી, ઉપરાંત જે પગાર શિક્ષકોને અપાય છે તેમા પણ મોટાપાયે ગેરરીતિઓ ચાલે છે, પગાર જો ચેકથી અપાય તો બાદમા રોકડ પરત લેવાય છે, અમુક શાળા સંચાલકો તો શિક્ષકોના એટીએમ કાર્ડ જ પોતે રાખી રકમ જમા કરાવી પોતે પરત અમુક રકમ ઉપાડી લે છે, આવુ શોષણ થાય છે. એક તો નોકરીની જરૂરિયાત વેઇટીંગમા રહેલી અરજીઓના દબાણ લાયકાત ઓછી વગેરે કારણ થી શિક્ષકો પણ બોલતા નથી અવાજ ઉઠાવી શકતા નથી
-સંચાલકોને એવી હવા કે શું થાય..?
કેટલીક ખાનગી શાળાઓના સંચાલકોને એવી હવા છે કે નીતિનિયમો ના પાડીએ તો શું થાય…આવું રાજકીય ઓથને કારણે પણ લાગતું હોય….પણ એવું નથી ક્યારેક ભીસ પડશે…કોઈ જાગૃત નાગરિકો ખરા અર્થમાં પટ્ટમાં આવશે તો શાળાઓને તાળા લાગી જતા પણ વાર નહિ લાગે.