Mysamachar.in-જામનગર:
હાલના સમયમાં મંદીનો માર અને આર્થિક સંકડામણ કેટલાય લોકોને મરવા મજબુર કરી રહી છે,ત્યારે આવો જ એક કિસ્સો જામનગરમાં પણ સામે આવ્યો છે,જામનગર શંકરટેકરી નહેરુનગર વિસ્તારમાં વસવાટ કરતાં મહેન્દ્રભાઈ ચંદ્રપાલ નામના વ્યક્તિ ને રીક્ષાના ધંધામાં મંદી ચાલતી હોય અને ઉપરથી લોન પર લીધેલ રીક્ષાના હપ્તા ભરવાનું સતત ટેન્શન ને કારણ મહેન્દ્રભાઈ સતત આર્થિક સંકડામણનો અનુભવ કરતાં હોય તેવોએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.