Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં એક જ દિવસમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં પાણીમા ડૂબી જવાથી ત્રણ લોકોના મોત નીપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે,પહેલા બનાવમા જામનગર નજીક આવેલા બાલાચડી ના દરિયાકિનારે ગણપતિ વિસર્જન કર્યા બાદ દરિયામાં નહાવા માટે પડેલા રાજેશભાઈ જેરામભાઈ ગિરનારી નામના યુવક દરિયામાં નહાતા-નહતા વધુ આગળ નીકળી જતા દરીયાના ઊંડાપાણીમા ડૂબી જવાથી તેવોનું મોત થયું છે,
જયારે બીજા કિસ્સામાં હર્ષદપુર ગામે પોતાની ભાગમાં આવેલ વાડીએ આંટો મારવા જતા ભરતભાઈ વાઘેલા નામના વ્યક્તિનું હર્ષદપુર ગામના સ્મશાન પાસે આવેલા બંધ ઉપરના પાણીના પ્રવાહમાં તણાઈ જતા મોત નીપજ્યાનું જાહેર થયું છે, જયારે ત્રીજા બનાવમાં શેઠવડાળા ગામે રાજાભાઈ બેરા નામના વ્યક્તિ કુદરતી હાજત માટે પાણી ભરવા જતા અકસ્માતે પાણીમાં પગ લપસી જતા તેવો કુવામાં પડી ચુક્યા બાદ ડૂબી જતા તેવોનું મોત થયું છે.