Mysamachar.in-જામનગર:
મહાનુભાવોનું સન્માન એ હાલાર કાઠીયાવાડ ગુજરાત અને સમગ્ર હિન્દુસ્તાનની આગવી વિશિષ્ટતા છે જે ઉંમળકાભેર થાય ત્યારે પરંપરા સાથે વિસ્તાર અને પ્રદેશની વિશેષતા ઉભરી આવે છે એમાંય જ્યારે પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીને સત્કારવા તે એક ગરીમાંમય અવસર ગણાય આ ગૌરવસભર પળોના અધીકારી જામનગર લોકસભાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ અદમ્ય ઉત્સાહ સાથે બન્યા અને પ્રધાનમંત્રી મોદીને છાજે તેવુ ભવ્ય અને દિવ્ય સન્માન કર્યુ હતુ..
માટે જ લોકોના પ્રતિભાવ એ હતા કે, જામનગરમાં નરેન્દ્ર મોદીનું સંસ્કૃતિ અને વારસાના જતન સમાન વિશીષ્ટ સન્માન સાંસદ પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું,. અને પશ્ચિમ ભારતમાં બિરાજતા શ્રી દ્વારકાધીશજીની શૃંગારીત તાદ્રશ્ય છબી અને હાલારની ધરતીની કળા કુશળતાનું પ્રતિક બાંધણી ભેટ કરી સાંસદ પૂનમબેન અહોભાવ પ્રગટ કર્યો હતો. ભગવાન શ્રી દ્વારકાધીશજીની આ ખાસ છબી 24 શૃંગાર વાળી અને રંગોની પુર્તિ સાથેની હસ્તકળાના શ્રેષ્ઠ દર્શન સમાન છે તેવી જ રીતે બાંધણી પ્રાચીનતમતાને જાળવી રંગીની આપૂર્તિની શ્રેષ્ઠ કૌશલ સમાન છે.