Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના કાલાવડના કશ્મીરપરા વિસ્તારમાથી બકરા ચોરી થયાની એક ફરિયાદ થોડાસમય પૂર્વે નોંધાઈ હતી, આ બકરા ચોરી કરી લઈ ગયેલ માણસો જીવાપર ગામના પાટીયા પાસે ઇયોન ફોરવ્હીલ ગાડી સાથે શંકાસ્પદ માણસો ઉભેલ હોય તેવી હકીકત મળતા હકીકતના આધારે હકીકત વાળી જગ્યાએ કાલાવડ ટાઉન પોલીસ સ્ટાફ પહોંચતા ત્યાં ત્રણ ઇસમો વિજયભાઈ ચૌહાણ, નવઘણ સિંધવ, બાલાભાઈ સિંધવ બકરા ચોરીમાં વપરાયેલ ઇયોન ગાડી સાથે મળી આવેલ જે ઇસમોને પૂછપરછ અર્થે ઇયોન ગાડી સાથે કાલાવડ ટાઉન પો.સ્ટે લાવેલ અને પૂછપરછ દરમ્યાન ચોરી કરેલની કબૂલાત આપેલ જેથી ચોરીમાં આરોપીઓએ ઉપયોગમાં લીધેલ ઇયોન ગાડી રજી. નં GJ-03-KP-6279 કિ.રૂ. 5,00000/- ની કબ્જે કરેલ અને ત્યારબાદ આરોપીઓના કોવિડ-19 ના રિપોર્ટ કરવી રિપોર્ટ નેગેટીવ આવતા આરોપીઓને તા.23/06/2020 ના કલાક 00/15 વાગ્યે ધોરણસર અટક કરી અને તેવોને રિમાન્ડ સાથે રજૂ કરેલ રિમાન્ડ મંજૂર થતાં રિમાન્ડ દરમ્યાન પોતે ચોરી કરેલ અને ચોરી થયેલ બકરા (જીવ) નંગ-06 કિ.રૂ.30,000/- નો મુદામાલ કબ્જે કરી આરોપીને પકડી વધુ તપાસ શરૂ કરેલ છે.