Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં આ વર્ષ ભારે વરસાદ પડ્યો અને કેટલીય જગ્યાઓએ ભારે વરસાદને કારણે મોટું નુકશાન પણ થયું, એવામાં પડેલા ભારે વરસાદથી મોટા ભાગના ગામડાઓમાં રસતાઓનો સોથ વળી ગયો….અને રસ્તાઓ ઠેર ઠેર બિસ્માર બની ગયા….જામનગર જિલ્લા પંચાયત સદસ્ય અને જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હેમત ખવાની આગેવાની હેઠળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના 20 ગામના સરપંચો દ્વારા જિલ્લા પચાયત DDOને આવેદનપત્ર આપી તાત્કાલિક બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવાની માગણી કરવામાં આવી છે, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપથી ધ્રાફાને જોડતો સ્ટેટ હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં છે. છતાં નઘરોળ તંત્ર પગલા લેતું નથી,
જેને કારણે મોટી ગોપ સહિત આસપાસના મોટાભાગના ગામોના મુખ્ય રસ્તાઓની આ પ્રકારની પરિસ્થિતિ છે અને વરસાદમાં તો રસ્તાઓની હાલત ખુબ જ બિસ્માર બની રહી છે. ખાસ કરીને ગ્રામજનો તેમજ રાહદારીઓને બિસ્માર રસ્તાઓને કારણે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે, જામજોધપુર તાલુકાના જે મુખ્ય માર્ગો છે તે પણ છેલ્લા 12 વર્ષથી રીપેરીંગ કરવામાં ન આવતા જામજોધપુર તાલુકાના 20 ગામના સરપંચોએ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે, જામજોધપુર તાલુકાના રોડ રસ્તા એટલા બધા બિસ્માર હાલતમાં છે કે અહીં 108 આવતા પણ બે કલાકથી વધુનો સમય વીતી જાય છે. ત્યારે જામજોધપુર તાલુકાના ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે ગામડાના સરપંચો હવે આગળ આવ્યા છે, વીસ ગામના સરપંચોએ કરેલ રજૂઆત બાદ માર્ગ મકાન વિભાગની આંખો ઉઘડશે કે કેમ તે જોવાનું છે.