Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા જેલ અધિક્ષક તરીકે ટૂંકાગાળામાં સારી કામગીરી કરનાર જેલ અધિક્ષક લોહારની અમદાવાદ જેલ એકેડમીના પ્રિન્સીપાલ તરીકે બદલી થતા તેમના સ્થાને અગાઉ જામનગર જીલ્લા જેલમાં જેલર તરીકે ફરજ બજાવી ચુકેલા અને ભુજની પાલારા ખાસ જેલ ખાતે જેલર તરીકે ફરજ બજાવતા પી.એચ.જાડેજાની ઇન્ચાર્જ અધિક્ષક તરીકે બદલી કરાઈ છે,ઇન્ચાર્જ અધિક્ષક તરીકે મુકાયેલા પી.એચ.જાડેજા પણ જામનગર જેલ ખાતે દોઢવર્ષ જેટલો સમયગાળો ફરજ બજાવી ચુક્યા હોય તે જામનગર જીલ્લા જેલની તમામ પરિસ્થિતિથી સુપેરે વાકેફ છે,
ત્યારે તેવોની બદલી ફરી ઇન્ચાર્જ અધિક્ષક જામનગર જીલ્લા જેલ તરીકે કરવામાં આવતા તેવોએ ચાર્જ સંભાળી લીધો છે, તેવો એ ભૂતકાળમાં પણ તેમના કાર્યકાળ દરમિયાન જેલમાં પોતે યોગ પ્રાણાયામના જાણકાર હોય કેદીઓને પણ પોજીટીવ માનસિકતા તરફ બદલાવવા લાવા અનેક પ્રયાસો કર્યા છે, જેમાં યોગ પ્રાણાયામ સાથે ખેતી સહીત ના પ્રયોગો સહીત કેદીઓમાં બહાર નીકળ્યા બાદ જીવન પરિવર્તન થાય તેવા અને જેલ સુધારણા અંતર્ગતના અનેક પ્રયાસો કરેલ છે, તેવોએ આજે માયસમાચાર સાથેની વાતચીતમાં કહ્યું કે મારા ચાર્જ સંભાળ્યા બાદ જેલનું તંત્ર યોગ્ય રીતે ચાલે અને કેદીઓના માનવાધિકારનું પાલન થાય તે રીતે તમામ પ્રયાસ કરવામાં આવશે તેમ પી.એચ.જાડેજાએ અંતમાં જણાવ્યું હતું.