Mysamachar.in-જામનગર:
PGVCLના મેનેજિંગ ડાયરેક્ટર વરૂણકુમાર બરનવાલએ આજે જામનગરની મુલાકાતે લીધી હતી, તેઓ દ્વારા મુલાકાત દરમિયાન જામનગર પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર પી.પી.પરમાર અને તમામ કાર્યપાલક ઈજનેરો, તમામ પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેરો સાથે વિવિધ મુદ્દાઓની રીવ્યુ મીટીંગ યોજી હતી
PGVCL ના મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા હાજર તમામ અધિકારીઓને વીજ ખાધ ઘટાડવા, વીજબિલના બાકી નાણાંની વસુલાતની કામગીરીને વેગવંતી બનાવવા તથા વિવિધ ગ્રાહક લક્ષી સેવાઓમાં સુધારો કરવા સૂચનાઓ પાઠવેલ હતી. તેમજ આગામી વર્ષમાં કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના RDSS(Revamp Distribution Sector Scheme) ના સફળતાપૂર્વક અમલીકરણ માટે જરૂરી આયોજન રૂપે લેવાના થતા પગલાંઓ અંગે વિસ્તૃત ચર્ચા કરેલ.
તેમજ રિવ્યૂ મીટીંગ દરમિયાન ખામીગ્રસ્ત મીટર રીડિંગ બાબતે, ત્રણ મીટર રીડરોની તાત્કાલિક બદલી કરી, આકરા પગલા લેવામાં આવેલ છે. આ અંગે આવનાર સમયમાં દરેક પેટા વિભાગીય કચેરીની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે અને તે પૈકી નબળી કામગીરી વાળા કર્મચારી અધિકારીઓ સામે આકરા પગલા લેવા અંગે ગર્ભિત ચેતવણી પણ આપવામાં આવેલ છે.