Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા
જામનગર જિલ્લામા કે દેવભૂમિ દ્વારકા જિલ્લામા વરસાદ પડે ત્યા તો નુકસાન ગણાવામા વીજવિભાગ અધીરૂ થવા માંડે છે, ત્યારે વીજ ગ્રાહકોનુ કહેવાનુ એ છે કે પહેલા થાંભલા તો ઉભા કરો વાયરો તો જોડો રીપેરીંગ તો કરો વીજપુરવઠો તો આપો બાદમા નુકસાનીના ટોટલ કરજો પણ ના આ તો ભાઇ PGVCL એ તો વરસાદ પડે તેમાંય પવન સાથે વરસાદ પડે એટલે દલાતરવાડી જેવો ઘાટ સર્જાયો હોય તેમ નુકસાનીના આડેધડ આંકડા ગણાવી દે છે તેવુ લાગે છે, ગત મહિનામાં ભારે વરસાદ પડ્યો એટલે આફતને અવસર ગણનારા વીજવિભાગના કેટલાક અધિકારીઓ વરસાદી મોટા દેડકાની જેમ નુકસાનીના ડ્રાઉ ડ્રાઉ કરવા મંડ્યા હતા અરે ભાઇ લોકો અંધારામાં બેઠા છે તેને વીજળી પહેલા આપોને વીજનુકસાનીના આંકડા જાહેર કરવાની શુ ઉતાવળ છે??
નુકસાનીના લાખોના આકડા જાહેર થાય છે તે પણ કોઇ ઠોસ આધારે હોય છે કે બેઝલેસ ?? તે પણ પ્રશ્નજાણકારોમાં દર વખતે થાય છે. પ્રિમોન્સુન કામ સારી રીતે કર્યુ હોય કે જ્યારે વીજલાઇનના કામ થઇ રહ્યા હોય ત્યારે થાંભલાના ફાઉન્ડેશન થી માંડી તમામ વાયર જોડાણ બરાબર થયુ હોય તો વારંવાર અમસ્તા પણ ફોલ્ટ ન આવે તેના બદલે ચોમાસુ હોય કે ન હોય વીજધાંધીયા તો કાયમી સમસ્યા હોય જ છે. હાલ ચોમાસામા આ સમસ્યા વધી જાય છે અને ચરમસીમાએ પહોંચી જાય છે જેથી વીજગ્રાહકો ત્રાસી જાય છે અને રોજ બરોજના કામકાજ અરે ત્યા સુધી કે ઘરમા રહેવુ કે ઓફીસમાં રહેવુ મુશ્કેલ થઇ જાય છે આ કાયમી સમશ્યા છે.
પરંતુ કોને ખબર વીજગ્રાહકોની ચિંતા કરવાને બદલે વીજપુરવઠો રેગ્યુલર કરવાના બદલે PGVCL જામનગર ને નુકસાની ના આકડા જાહેર કરવાનો કોને ખબર કેમ થનગનાટ હોય છે તે જ સમજાતુ નથી?? અરે સાહેબો સૌથી મોટી નુકસાની એ છે કે વીજગ્રાહક પરેશાન થાય છે તે છે તેના બદલે આકડાઓમા ક્યા અટકાવ છો?? તેમ અનેક વીજગ્રાહકો નો રોષભેર સવાલ છે માટે પહેલા વીજરીપેરીંગ કરો લોકોને તુરંત વીજળી આપો બાદમા બીજુ બધુ કરજો હા એ સ્વીકારવા જેવી બાબત છે કે અતિશય પવન સાથે વરસાદ પડે તો નુકસાન પણ થાય પરંતુ તુરંત જ રીપેરીંગ થાય તે એક્શન પ્લાનમા લખેલુ હોય છે તેનુ પાલન કરવાની અધીરાઇ જો વીજવિભાગ રાખે અને નુકસાનીના મોટા મોટા મનઘડત આકડા જાહેર કરવાની અધીરાઇ થોડીવાર દબાવી રાખે તે લાખો વીજગ્રાહકોના હિતમાં છે.