Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલારભરમા ફરીથી ત્રણ દિવસથી વીજધાંધીયાએ લોકોને રીતસરના ભાંભરડા જ નંખાવ્યા તેમ કહીએ તો કંઇ અતિશયોક્તિ નથી કેમ કે અનેક વિસ્તારોમા વીસ-વીસ કલાક થી લાઈટ નથી, પવન સાથે વરસાદ હતો અને વૃક્ષો પડ્યા તે પણ વાયરો ટ્રાન્સફોરમરો કે વીજપોલ પર પડ્યા તો દેખીતુ છે, ફોલ્ટ થવાના પરંતુ એ ફોલ્ટ રિપેર કરવા તુટેલા વીજવાયર જોડવા, રિપેરીંગ વગેરે માટે વધુ ટીમો કામે લગાવવાની જરૂર હતી, વળી જ્યારે કરોડોના ખર્ચે પ્રિમોન્સુન કામગીરી થઇ ત્યારે વીજલાઇનને લગત વૃક્ષોના ટ્રીંગ કે કટીંગ કેમ ન કરાયા વાયરોની પોલની મજબુતાઇ કેમ ચેક ન કરાઇ વગેરે તેમજ શોર્ટસર્કિટ થાય તેવા નબળા જંક્શન કેમ ચેક ન થયા અને બધો જ દોષ વરસાદને આપીને વીજ વિભાગે માંડ માંડ મરામત કામ કર્યા અને તે પણ અધુરા કર્યા હોય તેવી પ્રતીતિ લોકો કરે છે,
જામનગરમા કાલાવડનાકા લાલવાડી, ઉમીયાનગર, શાકમાર્કેટ વિસ્તાર કડીયાવાડ તીનબતી પી.એન. રોડ, વાલકેશ્વરી નગરી, સ્વસ્તિક સોસાયટી, ખોડીયાર કોલોની, શરૂ સેક્શન, પટેલ કોલોની ગાંધીનગર, રામેશ્ર્વર નગર, નવાગામ ઘેડ, નાગનાથ ગેટ, ગુલાબનગર, સાધના કોલોની, પટેલ પાર્ક, લાલપુર બાયપાસ તરફ રણજીતનગર કૃષ્ણ નગર દિગ્વીજય પ્લોટના વિસ્તારો ખંભાળીયા નાકા સહિત અનેક વિસ્તારોમા બે ત્રણ ચાર પાંચ કલાકથી માંડી વીસ વીસ કલાક લાઇટ જ ન આવી તે વિસ્તારના લોકોની હાલત શુ થઇ હશે? માટે જ લોકો ત્રાહીમામ થઇ ગયા અને વીજવિભાગને કોષી રહ્યા છે,
-ગામડામા તો સમગ્ર દિવસ રાત અંધારપટ…"કાલે લાઇટ આવશે"
જામનગર અને દ્વારકા જિલ્લાના ઓખા મીઠાપુર સુરજકરાડી દ્વારકા ભાટીયા કલ્યાણપુર રાવલ ખંભાળિયા સિક્કા દરેડ ધ્રોલ જોડીયા લાલપુર જામજોધપુર વગેરે ગામોમા અને તે ગામોના તેમજ તેના લગત વિસ્તારોમા તો વીજ વિભાગના જવાબદારોએ જ્યા જંયા લાઇટ ન હતી ત્યા ત્યા શનિવારે લોકોને ચોખ્ખુ સુણાવેલુ કે લાઇટ કાલે જ આવશે…! આવી સ્થિતિમા લોકો મુસીબતમા અને મજબુરીમા મુકાય તે સ્વાભાવિક છે.