Mysamachar.in-જામનગર
જામનગર મહાનગર પાલિકાના ગત જનરલ બોર્ડમા મેયર ઉપર આક્ષેપ થયાના મામલે વાવાઝોડા વરસાદના તોળાતા સંકટમાથી ફ્રી થયા બાદ હવે લોકોમા કોર્પોરેશનની ચર્ચાઓની શરૂઆત થઇ રહી છે તેવુ જાણવા મળે છે, કેમકે કોરોનાની સારવાર કરતી અમુક ખાનગી હોસ્પીટલ પર કઇ પગલા લેવાતા નથી ગાઇડલાઇન મુજબ ટ્રીટમેન્ટ થતી નથી મેડિકલ ટ્રીટમેન્ટ પ્રોસીજર મુજબ વોર્ડ કે આઇસીયુ નથી બીજી આનુસંગિક સુવિધા અને ક્વોલીફાઇડ સ્ટાફ નથી વગેરે અનેક બાબતોની ખામી અમુક ખાનગી કોવિડ હોસ્પીટલમા છે જે બાબત દર્દીઓ તેના પરિવારજનો લાચારીથી મજબુરીથી તગડા નાણા ખર્ચીને પણ સહન કરે છે ચલાવી લે છે વળી ઉપરથી ક્યાક ક્યાકથી તો ચાર પાંચ દિ સારવાર કરી ગજ ન વાગે કે કાળી ટીલી ન લગે કે બીજા કોઇ કારણથી દર્દીને જીજીજીએચમા મોકલી દેવાય છે….!!!
(જોકે આવા તબીબએ લગત દર્દીને ખંખેરી કમાઇ લીધુ પછી હડસેલી દીધા પહેલેથી ગંભીરતાની ખબર હોવા છતા પોતાની લીમીટ ખબર હોવા છતા…વગેરે વાતો લોકો કરતા હોય પરંતુ હીપોક્રેટસ ઓથ સાથે તબીબી વ્યવસાય કરનાર તબીબોમાથી કોરોના દર્દી માટે આવુ કરનારા અમુક તબીબો પર સાંભળેલી બાબતોથી કે એકાદ બે સ્થળે ખરાબ પરિસ્થિતિ જોવાથી ય આક્ષેપ ન કરાય તેમ અમુક કહે છે અને સુચન કરે છે કે એનાથી તબીબોને ખરાબ લાગે તો ખરાબ લાગે તેવી ટીકા ન કરાય) પરંતુ દર્દીઓના હિતમા અવાજ ઉઠાવવો તે શાસકોની પહેલી ફરજ છે તે ચુકતા વિપક્ષના અસ્લમ ખીલજીએ મનપા જનરલ બોર્ડમા આ મુદો ઉઠાવ્યો હતો અને આક્ષેપ કરેલો કે ખાનગી કોવિડ હોસ્પીટલ સાથે કોઈનું હિત છે??
ખુબી એ છે સૌ સતાવાળા જાણે છે સૌ નેતા જાણે છે કે અમુકે કમાવવા માટે જ કોવિડ હોસ્પીટલ ખોલી નાખી છે પ્રથમ ધ્યેય એ જ છે જો કે કમાય તો ડોક્ટરોનો હક છે પરંતુ એટલીસ્ટ સરકારે નક્કી કરેલા ચાર્જનો અમલ તો મેયર કરાવી જ શકે હોસ્પીટલ બહાર દરેક ચાર્જના બોર્ડ મુકાવી જ શકે કમીશનર કે ડે.કમીશનર સાથે વીઝીટ કરી સંક્રમણ માસ્ક બાયોવેસ્ટ સફાઇ દર્દી કેર વ્યવસ્થા વગેરે અનેક મુદે તપાસ કરાવી નોટીસ અપાવી શકે છે માટે જ વિપક્ષોએ આ મુદો ઉઠાવ્યો પરંતુ મેયર મૌન રહ્યા હતા અને વિપક્ષએ ઉગ્રતામા એવુ પણ કહી નાખ્યુ કે મેયર કેમ પગલા નથી લેતા કે લેવડાવતા.? જે બાબતે પણ મેયરએ ઓફીશીયલ પ્રેસ રીલીઝ કરી જનરલ બોર્ડમા થયેલા દરેક આક્ષેપોના ખંડન કર્યા હતા.
બીજુ અમુક લોકો કહે છે કે…… મારા બેન હજુ તો મેયર પદની શરૂઆત છે બે વર્ષથી વધુ સમય હજુ છે ખરેખર જે સિદ્વાંતો તમારા છે તે મુળભુત શૈલીના દર્શન પ્રજા કામ માટે કરાવો માત્ર પક્ષની કે સંકલનની કે મીડીયા જ્યા હાજર ન હોય ત્યા તાડુકી લો છો પછી તે મુજબ પણ કઇ થતુ નથી માટે મેયરની ફરજો અદા કરવા ઠોસ કામ કરી લોકાભિમુખ વહીવટનુ ઉદાહરણ પુરૂ પાડવાનો પુરતો સમય છે માટે ચિંતન કરો અને ગુજરાતની સંવેદનશીલ સરકારના સિદ્વાંતો પણ અપનાવા જવાબદારોને ફરજ પાડો અને વડાપ્રધાનનો જે ધ્યેય છે કે દરેક નાગરીકને દરેક સાનુકુળતાને સુવિધા પહોંચાડવી તે અમલ કરાવી લોકોને સગવડતા અપાવી પ્રશ્ર્નો દૂર કરો તેમજ વડાપ્રધાન ના અભિયાનોનો જામનગરમા શતપ્રતિશત અમલ કરાવો જે મેયર તરીકે તમોને છાજશે……તેવા અભિપ્રાયો તજજ્ઞોના સાંભળવા મળે છે વિપક્ષ તો આ અવાજ પહોચાડવા માંગતું હતુ પરંતુ તેમના ભાગ્ય નબળા કે પ્રજાની બલિહારી જે ગણો તે બોર્ડ ઝડપથી આટોપવાના મેયરના નિર્ણય બાદ અનેક પરીમાણોથી ચર્ચાઓ હાલ જાગી છે પડઘા પણ પડી રહ્યા છે.
-મેયરની ફરજો…..
કાઉન્સીલની બેઠક બોલાવવી અધ્યક્ષતા કરવી જેમા પ્રજાને આપવાની ફરજીયાત સેવાના પ્રશ્ર્નો રજુઆતો સાંભળી નિર્ણાયક પગલા લેવા
બધા દ્રષ્ટિકોણથી દરેક રજુઆતો પક્ષપાત વગર મુક્ત મને સાંભળવી
સારા કાર્યોને પ્રોત્સાહન આપવુ
અનુકરણીય વર્તન બતાવવુ
કાઉન્સિલના સભ્યોને માર્ગદર્શન આપવુ
શહેરના કાયદા લાગુ કરાવવો
શહેરમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી કરાવવા તમામ પ્રયાસ કરવા
શહેરની કામગીરીનું સંચાલન કરવુ
મહાપાલીકા વહીવટી અને સતાધારી બંને પાંખના કાર્યોના પરિણામોનો વાર્ષિક અહેવાલ બનાવડાવવો સરકારમા પહોંચાડવો સમીક્ષા કરી ખુટતી કડી જોડવી
સામાજિક બાબતો સેવાઓ સ્થળો કાર્યક્રમોમાં ભાગ લઇ નાગરીકોને પ્રોત્સહન મદદ સુવિધાઓ અપાવવી
એકંદર પાલિકાની વહીવટી, કાનૂની અને ઓપરેશનલ પ્રવૃત્તિઓ માટે મેયર જવાબદાર છે.