Mysamachar.in-જામનગર:
જામનગર તાલુકાના અલિયા ગામે રહેતી એક પરિણીતાને મંગળસૂત્ર કરાવવું હોય અને તેણીના સસરાએ ખેતીની મોસમ થાય પછી મંગળસૂત્ર કરાવી દઈશું તેમ કહેતા પરિણીતાને ખોટું લાગી આવતા જંતુનાશક ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.જામનગર નજીક અલીયા ગામે રહેતા નિધીબેન આશિષભાઈ કાસુન્દ્રા નામની પરિણીતાને મંગળસૂત્ર કરાવવું હતું. પરંતુ તેના સસરા હરિભાઈએ કહ્યું કે ખેતીની મોસમ પૂરી થશે પછી એક બે મહિનાની અંદર મંગળસૂત્ર કરાવી દેશું. પરંતુ નિધીબેન ને બે પાંચ દિવસમાં જ મંગળસૂત્ર કરાવવું હતું પરંતુ સસરાએ ખેતીના પૈસા આવ્યા બાદ કરાવી દેવાનું કહેતા આ વાતનું ખોટું લાગી આવતા નિધીબેને જંતુનાશક દવા ગટગટાવી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે તેણીનાં પતિ આશિષભાઈ એ પંચકોષીએ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી.