Mysamachar.in-જામનગર
જામનગરમા એક તરફ શહેરમાં જ ઢોરના ત્રાસે માજા મુકી છે, અને ઢોરમાલીકોને દંડ કરવાના તીતુડી જેવા કમિશ્નરના હુકમો અને જાહેરનામાની કોઇ અસર નથી માટે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે, તેમાં વળી ગતરાત્રે કોર્પોરેશનના ઢોરના ડબાના દરવાજા કોઇ માથાભારે શખ્સો તોડી જતા ત્રણસો જેટલા ઢોર વછુટ્યા અને આજુબાજુના વિસ્તાર ગામડા રસ્તા ખેતરોમાં આતંક ફેલાયો હતો સૌ પ્રથમ વખત બનેલી આ હિચકારી ઘટનાએ કોર્પોરેશનને અને આ વછુટેલા ઢોરનો ત્રાસ વેઠનાર લોકોને હચમચાવી મુક્યા હતા,
જામનગર રણજીતસાગર રોડ ઉપર આવેલા મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં ફરજ ઉપર રહેલા સિક્યુરિટી ગાર્ડને બંદી બનાવી એક ઇકો કારમાં આવેલા અજાણ્યા માથાભારે જેવા છથી સાત શખ્સોએ ગત રાતે ઢોર ડબાનો મુખ્ય દરવાજો તોડી નાખી 300 જેટલા ઢોર છોડી મુક્તા અફડાતફડી મચી જવા પામી હતી જેથી ઢોર ડબ્બામાં પુરાયેલા તમામ પશુઓ રસ્તા ઉપર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તરફ તેમજ ખેતરોમાં નાસી છુટ્યા હતા, એકાએક આ આતંક ફેલાતા આજુબાજુના વાડી અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોના ટોળાં ઢોર ડબે હતપ્રત થઇ દોડી આવ્યા હતા,
આવી બેકાબુ પરિસ્થિતિનો તાત્કાલીક એક તો હલ જ ન આવે કેમકે બે પાંચ ઢોર હોય તો હજુ ક્યાક પકડાય પરંતુ 300 ઢોર જેમ તેમ આડેધડ ભાગતા જે અંધાધુધી સર્જાઇ તે કાબુમા કેમ આવે? રાત્રીના દ્રશ્યો કંપાવનારા બની રહ્યા હતા વળી ઢોર ક્યા સુધી ગયા શુ નુકસાન કર્યુ ? કોને ઇજા પહોચાડી? ઢોર પોતે પણ ઇજાગ્રસ્ત થયા કે શું ? વગેરે પ્રશ્નો સાથે ડબો તોડનારા કોણ? તેનો ઇરાદો શુ હતો? શુ પોતાના ઢોર છોડાવવા આવો જોખમી કારસો કર્યો હશે? તે સહિતના અનેક પ્રશ્નો તપાસ માંગે છે સાથે સાથે સશક્ત મજબુત ફુલ પ્રુફ સીક્યોરીટી ઢોર ડબે હવે પુરતા પ્રમાણમા રાખવી પડશે અને દરવાજા વધુ મજબુત અને જેલ જેવા લોખંડી બનાવવા પડશે કે શું?
એ પણ વિચારવુ પડશે હાલ તો એક તરફ શહેરમા ઢોર ક્યાય સમાતા નથી રાહદારીઓને અને વાહન ચાલકો માટે જોખમી રીતે આથડે છે દોડે છે અડીંગા જમાવે છે ભય પમાડે છે અકસ્માતો સર્જે છે તેમા વળી કલ્પના બહારની આ ઘટનાએ સતાવાળાઓને વિચારતા કરી મુક્યા છે.હવે આ મામલે કાઈ પગલા લેવાશે કે પછી…?