Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં ભારતના સૌથી મોટા યુધ્ધો પૈકીનું એક ઐતિહાસિક યુદ્ધ ભૂચરમોરી યુધ્ધભૂમિ પર ખેલાયું હતું. તે મેદાનને અને તેના શહીદોની શહાદતને શ્રધ્ધાંજલી આપવા તથા ક્ષત્રિયોના આશરા ધર્મની મહાન ગાથાને યાદ કરાવતા ભુચરમોરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા સૌપ્રથમ ધ્રોલ શહેરમાં ધ્રોલ ઠાકોર સાહેબશ્રી ચંદ્રસિંહજી જાડેજાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને વંદન કર્યા હતા.
અખિલ ભારતીય ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસની શીતળા સાતમના રોજ ધ્રોલ તાલુકા ખાતે ભૂચરમોરી યુધ્ધ મેદાનમાં યોજવામાં આવ્યો હતું. આજ ભૂમિ પર ગતવર્ષે શરણાગતોની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારશહિદોની યાદમાં બે હજારથી વધુ રાજપુતાણીઓએ તલવારબાજી કરી વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો. હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોવીડ-19ને અનુલક્ષીને ચાલૂ વર્ષે આ શ્રધ્ધાંજલિ સમારોહનું સાદગીપૂર્ણ આયોજન કરવામાં આવેલ હતું. અંદજીત 50થી ઓછી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
બાકીના લોકો આ કાર્યક્રમ ઘરેબેઠા સોશિયલ મીડિયાના માધ્યમ થકી http://www.facebook.com/ bhucharmori/ ઉપર નિહાળી શકે તે માટે અખિલ ગુજરાત રાજપુત યુવા સંધ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. ભૂચરમોરી યુધ્ધ રાજગાદી લેવા નહિ પરંતું આશરા ધર્મ માટે યોજાયુ હતું તેમ જણાવતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉમેર્યું કે, છેલ્લા 29 વર્ષથી આ શહિદ શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજવા અને સમાજને સંગઠીત કરવા માટે અથાગ પ્રયત્નો કરતાં ડો. જયેન્દ્રસિંહ જાડેજાના અભિનંદન પાઠવેલ હતા. આ તકે રાજપુત સમાજના આગેવાનશ્રી ડો. જયેન્દ્રસિંહ જાડેજા અને શ્રી રાજભા જાડેજાએ ભૂચરમોરી ખાતે યોજાયેલ યુધ્ધનો ઇતિહાસથી ઉપસ્થિત સૌને માહિતગાર કરેલ હતા.