Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની તાજેતરમાં જ મળેલી સામાન્યસભામાં વિપક્ષ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને શાશકો અને અધિકારીઓ સામે આંગળીઓ ચિંધવામાં આવી. એવામાં મનપા વિપક્ષ નેતા અલ્તાફ ખફીએ નાયબ કમિશ્નર એ.કે.વસ્તાણીને લઈને કેટલાક આક્ષેપો કરતા કહ્યું કે અમને નાયબ કમિશ્નર વસ્તાણીને જોઈએ ત્યારે પૂર્વ ઇન્ચાર્જ નાયબ કમિશ્નર કુંભારાણાની ખુબ યાદ આવે છે આવું અલ્તાફ ખફીએ કહેતા જ ગૃહમાં થોડીવાર માટે હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું(શા માટે તે ગૃહમાં બેસેલા સૌ કોઈ જાણે છે) વધુમાં ખફીએ કહ્યું કે મને આ શા શબ્દો ના શોભે છતાં ગૃહમાં કહું છું કે નાયબ કમિશ્નર વસ્તાણીને જામનગર મનપામાં નોકરી નથી કરવી અને તેવો ધરારથી નોકરી કરે છે તેવું અમને એટલા માટે લાગે છે કે કારણ કે વિપક્ષને આપવો જોઈતો રિસ્પોન્સ આ અધિકારી ના આપતા હોવાનું કહી અને ચાર પાંચ અધિકારીઓને છાવરવા સિવાય નાયબ કમિશ્નર કાઈ કરતા ના હોવાનો આક્ષેપ પણ અલ્તાફ ખફીએ કર્યો વધુમાં નાયબ કમિશ્નર વસ્તાણી કમિશનરને સાચો રીપોર્ટ કે વાત રજુ કરતા નથી તેવો આક્ષેપ પણ કર્યો છે.
-જેના પર આક્ષેપો થયા તે નાયબ કમિશ્નર વસ્તાણીએ કહ્યું કે..
my samachar દ્વારા તટસ્થતાના ભાગરૂપે આ આક્ષેપો અંગે નાયબ કમિશ્નર વસ્તાણીની ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે એ પોતાની વ્યક્તિગત રીતે બોલતા હશે, મનઘડત બોલતા હોય છે, વિપક્ષના સભ્યો ઘાંઘા થઈ ચુક્યા છે, અને આવા વાહિયાત આક્ષેપો કરે છે. હકીકતે આવા આક્ષેપોમાં કોઈ તથ્ય નથી.