Mysamachar.in-જામનગર
વીજવિભાગ અને ધાંધીયા એ બંને એકબીજાના પુરક હોય તેમ છેલ્લા પાંચ દિવસના પ્રિમોન્સુન વરસાદી માહોલએ વીજ વિભાગની કહેવાતી પ્રિમોન્સુન પ્લાનની પોલ ખોલી નાંખી છે અને નવા અધીક્ષક પણ અવિરત સેવા આપી શક્યા નહી માત્ર સુચનાઓ આપી બેસી રહ્યા, જામનગર પીજીવીસીએલ સર્કલ હેઠળ જામનગર અને દ્વારકા જિલ્લાઓ આવે છે તે બંને જિલ્લાઓમા વિધીવત ચોમાસા પહેલા જ પવન સાથે વરસાદ અનેક વિસ્તારોમા થયો કાલાવડ લાલપુર ભાણવડ ધ્રોલ જોડીયા ખંભાળીયા કલ્યાણપુર દ્વારકા પંથકના જુદા-જુદા ગામોમા ક્યાક તાલુકા મથકે ક્યાક ગામડાઓમા સામાન્ય થી માંડી પવન સાથે ભારે ઝાપટાઓ પડ્યા
આ હવામાન વચ્ચે ક્યાક વરસાદ પહેલા તો ક્યાક વરસાદ દરમ્યાન વીજ પુરવઠા ઠપ્પ તો થયા એટલુ જ નહી અનેક વિસ્તારો અને ગામોમા કલાકો સુધી વિજ પુરવઠા રેગ્યુલર ન થયા, તેમાય જામનગરમા રવિવારે વરસાદી માહોલ બન્યો પવન ફુંકાયો ત્યાતો કેટલાક વિસ્તારોમા વીજધાંધીયા ક્યાક શોર્ટ સરકિટ ક્યાક લો વોલ્ટેજ ક્યાક હાઇ વોલ્ટેજ ની સમસ્યા થયાનુ અનેક વીજ ગ્રાહકોએ જણાવ્યુ છે, ત્યારે પ્રશ્ન એ છે કે નવા અધિક્ષકે સુચનાઓ આપી કે ગ્રાહકોની સમસ્યાઓ જલ્દી દૂર કરવી પ્રિમોન્સુન કામ નક્કર કરવુ જરૂર પડ્યે ઇમરજન્સી રીપેરીંગ કરવા દરેકે તેની ફરજ પર સજ્જ રહેવુ ટેલીફોન મોબાઇલ દરેક એટેન્ડ કરવા વગેરે અનેક મુદાઓનો આ સુચનાઓમા સમાવેશ થાય છે પરંતુ સમસ્યાઓ તો થઇ લોકો હેરાન થયા હજુ ચોમાસુ બાકી છે તો કરોડોના આંધણ બાદ પણ આવુ જ રહેશે ? તો ખર્ચ ક્યા થયો છે? તે સવાલ સાથે નવા અધિક્ષક ની સુચના ઝાંપા સુધી એટલે ચેમ્બર ના ડોર સુધી રહ્યાનુ પણ અમુક જાણકારો મજાકમાં કહે છે.
-જામજોધપુરના મેઘપર ગામે તો જોવા જેવી થઇ..
આ તમામ ધાંધિયાઓ વચ્ચે જામજોધપુરના મેઘપર ગામે તો જોવા જેવી એટલા માટે થઇ કે થોડા સમય પૂર્વે જ નાખવામાં આવેલ વીજથાંભલાઓ ભારે પવન અને વરસાદને કારણે જમીનદોસ્ત થઇ ગયા હતા ત્યારે આ વીજપોલ જો આટલા સામાન્ય વરસાદમાં ઉખડી જતા હોય તો તેની ગુણવતા કેવી હશે તે પણ સવાલ ઉઠે છે.