Mysamachar.in-જામનગર
કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે જામનગર શહેરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જીજી હોસ્પીટલમાં આવેલ છે, આ હોસ્પીટલમાં જામનગર જીલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર સહિતના આજુબાજુના જિલ્લાઓમાંથી દર્દીઓ કોરોનાની સારવાર લેવા માટે આવે છે, કુદરતને કરવું ને જયારે કોઈ દર્દીનું અવસાન થાય ત્યારે સ્વાભાવિક એમ્બ્યુલન્સમાં જ મૃતદેહને લઇ જવો પડે ત્યારે નજરે જોનાર કેટલાક લોકોનું કહેવું છે કે અહી ફૂટી નીકળેલા ખાનગી એમ્બ્યુલન્સના ધંધાર્થીઓએ મજબૂરીનો લાભ લેવાનું શરુ કર્યું હોય તેમ આડેધડ મૃતકના સબંધીઓને ભાડામાં લુટવામાં આવી રહ્યા છે,
જીજી હોસ્પીટલથી જામનગર શહેરમાં પણ સ્મશાને કે પછી આસપાસના વિસ્તારમાં એમ્બ્યુલન્સ લઇ જવાનો ભાવ 1500 થી 2500 હોવાનું સામે આવ્યું છે. આવા સમયે જ માણસ એક તો કોરોના મહામારીમાં સ્વજન ગુમાવ્યું છે અને પૈસે ટકે ધોવાઈ ગયો હોય તે ના છૂટકે મજબુરીનો ભાવ આપતા હોય તેમ લાગી રહ્યું છે.
-સરકારી એમ્બ્યુલન્સો પણ દોડી રહી છે. પણ મર્યાદિત સંખ્યામાં
કોવીડ હોસ્પિટલ ખાતેથી શબવાહિનીઓ પણ દોડી રહી છે, પણ મર્યાદિત સંખ્યામાં હોવાને કારણે લોકોને ના છૂટકે ખાનગી એમ્બ્યુલન્સોનો સહારો લેવો પડે છે, અને જેનો અમુક (બધા નહિ) એમ્બ્યુલન્સ ચાલકો ભરપુર લાભ ઉઠાવે છે.