Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલારના બન્ને જીલ્લામાં બે આશાસ્પદ યુવકોના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, સૌ પ્રથમ વાત દેવભૂમિ દ્વારકા જીલ્લાની કરવામાં આવે તો પોલીસ મથકે જાહેર થયેલ વિગતો મુજબ ભાણવડ તાલુકાના જસાપર ગામે રહેતા આશિષ વેણિલાલ ભોગાયતા નામના 21 વર્ષના યુવાને રવિવારે સાંજના સમયે પોતાની વાડીએ એક ઝાડની ડાળી સાથે કેબલ વાયર બાંધી અને ગળાફાંસો ખાઇ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.આ કરુણ બનાવ અંગે મૃતકના પિતા વેણિલાલ કરસનભાઈ ભોગાયતાએ ભાણવડ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતક આશિષને નોકરી બાબતે ટેન્શન હોય, તેમણે આ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર બનાવથી નાના એવા જસાપર ગામમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે.
જયારે જામનગર જીલ્લાની વાત કરવામાં આવે તો જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક નજીક વસવાટ કરતા નીલેશ દામજીભાઈ કછેટીયા નામના 35 વર્ષીય યુવકે પણ આપઘાત કરી લીધાનું જાહેર થયું છે જેની પાછળ કારણ મૃતક નીલેશે ફાયનાન્સમાથી હોમ લોન લીધેલ હોય અને આર્થીક પરીસ્થીતી સારી ન હોય જેથી આર્થીક સંકડામણના કારણે કંટાળી જઇ પોતાના ઘરે પોતાની જાતે છત પંખામા સાળી વડે સાળી બાંધી ગળાફાસો ખાઇ લઈ મરણ ગયાનું જાહેર થયું છે.