Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે તેનો ભોગ માણસો બની રહ્યા છે, તાજેતરની જ ઘટના છે કે જામનગર શહેરના ગોકુલનગર રોડ પર એક વૃદ્ધ પોતાની મોટરસાઈકલ પર જઈ રહ્યા હતા ત્યારે ખુંટીયો આવીને ભટકાયો અને વૃદ્ધ નીચે પડી જતા તેવોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજયાનું જાહેર થયા બાદ હવે જામનગર શહેર નહી પણ જીલ્લામાં પણ આટલો જ ત્રાસ હોય તેમ… જીલ્લાના જામજોધપુર શહેરમાં મધર ટેરેસા સ્કુલ નજીક 4 દિવસ પૂર્વે 62 વર્ષીય રમેશચંદ્ર ભાણજીભાઈ અમૃતિયા પોતાના મોટરસાઈકલ પર જામજોધપુરથી ગીંગણી ગામે પોતાના ભાઈને ઘરે જતા હતા ત્યારે ખુંટીયો રોડ પર તેના મોટરસાઈકલ સાથે અથડાઈ જતા તેવોને હેડ ઇન્જરી થઇ હતી અને તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયાનું જાહેર થયું છે.