Mysamachar.in-જામનગર
ગુજરાત સહીત જામનગરમાં ભૂમાફિયાઓનો ત્રાસ વધી રહ્યો હોય જેની સામે રાજ્યસરકારે ભૂમાફિયાઓને કાબુમાં કરવા ગુજસીટોક અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતના કાયદાઓની અમલવારી કરાવવામાં આવી રહી છે, ત્યારે જામનગરમાં દરેડમાં સરકારી જમીન પર કબજો કરવા સૌપ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો દાખલ થયા બાદ ખાનગી જગ્યા જે કરોડોની કિમતની હોય તે પચાવી પાડવાના ગુન્હામાં 4 શખ્સો સામે સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે.
જો નોંધાયેલ ફરિયાદની વિગત પર નજર કરવામાં આવે તો આ કેસમાં ફરિયાદી ઇકબાલ અલારખા શેખ જે હવાઇ ચોક, સેતાવાડ નજીક વસવાટ કરે છે, તેને ધી.ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધિત)વિધેયક 2020 ની કલમ 4(3), 5(ચ), ઇકબાલભાઈના પિતા અલારખા હાજી શેખની કબ્જા ભોગવટાની ખેતી લાયક ખેતીની જમીન રે.સ.નં.1323 પૈકી-1, એકર 6 ગુઠા 34 કિ.રૂ. 1,66,32,594/00 ની જમીન રાણશીભાઇ કરશનભાઇ રાજાણી રહે-એમ.-40 બ્લોક નં.7 લાખોટામીગ કોલોની અને નરશીભાઇ ગોપાભાઇ કાલસરીયા રહે-પંચેશ્વરટાવર રોડ, હિમાનીશ એવન્યુ, ફલેટ નં,302 વાળાઓએ પચાવી પાડવા સારૂ કિશોરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મરણ જનાર નકા મૈયા ચારણના નામે ખરો દસ્તાવેજ કરાવેલ તેઓએ હરેશભાઇ લક્ષ્મીદાસ પારેખ રહે-રણજીતનગર,નવો હુડકો, બ્લોક નં.જે/17/બ્લોક નં.2153 પહેલો માળના નામનુ કુલમુખત્યાર નામુ કરી આપી તેના મારફતે નાગેશ્વરનગર નોન ટ્રેડીંગ કોર્પોરેશન નામની સંસ્થા ઉભી કરાવેલ તેમજ ફરીયાદીના પિતાના કબ્જા ભોગવટાની ઉપરોકત જમીનનો રાણશીભાઇ કરશનભાઇ રાજાણી ગે.કા. વેચાણ કરાર ઉભો કરી તેમાં પણ કબ્જો કરી લીધેલ છે.
અને નાગેશ્વર નોન ટ્રેડીંગ કોર્પોરેશનના વહીવટ દારોએ બીન ખેતી કરાવ્યા વગર અને પ્લોટીંગનો નકશો બનાવી તેમાં ફરીયાદીના કબ્જા ભોગવટા વાળી રે.સ.નં.1323 પૈકી 1 (એકર 6 અને 34 ગુઠા) જમીનને પણ આ નકશામાં આવરી લઇ પ્લોટીગ કરી નાગેશ્વર નોન ટ્રેડીંગ કોર્પોરેશન મારફતે કબજા વગરના વેચાણ કરારથી વેચાણ કરી નાખી એક બીજાની મદદગારી કરી જમીન કૌભાંડ આચર્યું હોય આ અંગેનો ગુન્હો દાખલ થતા હવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.