Mysamachar.in-સુરતઃ
ડાયમંડ નગરી તરીકે જાણીતું સુરત શહેર હવે અંડરવર્લ્ડ માટે જાણીતું બની રહ્યું છે. શહેરમાં ડોન તરીકે જાણીતા સૂર્યા મરાઠીની કેટલાક શખ્સોએ તેની જ ઓફિસમાં ચાકુથી હુમલો કરી ઢીમ ઢાળી દીધું. તો હુમલો કરવા આવેલા શખ્સોમાં એકનું મોત નીપજ્યું છે. શહેરમાં વેડરોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠી(પવાર) ની ઓફિસમાં આજે સાતેક જેટલા અજાણ્યા ઈસમો ઘૂસી આવ્યા હતા. તલવાર અને ચપ્પુના ઘા મારી સૂર્યા મરાઠીનું ઢીમ ઢાળી દીધું હતું. એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામ સામેના હુમલામાં ટૂંકી સારવાર દરમિયાન સૂર્યા અને હાર્દિક બન્નેના મોત નિપજ્યાં હતાં.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કતારગામ વેડરોડ વિસ્તારમાં રહેતો અને ઓફિસ ધરાવતો સૂર્યા મરાઠી ગેંગવોરને લઈને ચર્ચામાં આવતો રહેતો હતો. માથાભારે મનુ ડાહ્યા ગેંગ સાથે અથડામણને લઈને ઘણી વાર જાહેરમાં બનાવો પણ બન્યા હતા. દરમિયાન મનુ ડાહ્યાની હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં સૂર્યા મરાઠીને આરોપી બનાવવામાં આવ્યો હતો. જોકે,આ કેસમાં સૂર્યા મરાઠીને પાંચ દિવસ પહેલા જ નિર્દોષ જાહેર કરાતા જેલમાંથી મૂક્ત થયો હતો. જેલમાંથી બહાર આવ્યાના પાંચ દિવસમાં એટલે કે આજે વેડરોડ ખાતે આવેલી ઓફિસમાં સૂર્યા મરાઠી હાજર હતો. દરમિયાન સાત જેટલા ઈસમો ઘૂસી આવ્યા હતા અને તલવાર અને ચપ્પુથી હુમલો કરી દીધો હતો.
એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામ સામેના હુમલામાં ટૂંકી સારવાર દરમિયાન સૂર્યા અને હાર્દિક બન્નેના મોત નિપજ્યાં હતાં. ત્યારબાદ સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્નેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા કતારગામ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ અને સૂર્યા મરાઠી વચ્ચે કંઈક બાબતે ઝઘડો સર્જાયો હોય શકે અને બાદમાં સામ સામે હુમલો કર્યો હતો. જેમાં ચપ્પુના ઘાથી એકબીજાના મોત નીપજ્યાં હતાં. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ આદરી છે. આ હુમલામાં અન્ય લોકો પણ સામેલ હોવાની આશંકા સેવવામાં આવી રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.