Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનમાં વર્ષો સુધી “વામન”એ રાજ કર્યુ કમીશનર ગમે તે આવે મેયર ગમે તે આવે સૌ ની હા જી હા કરે તેમાંથી વળી કોઇને ફાયદો થાય તેવા રસ્તા બતાવે જરૂર પડ્યે ચાપલુસીય કરી લે રડમસ મોં પણ કરી લે( આમેય અડધુ પડધુ તો એવુ લાગતુ જ) વગેરે વગેરે અનેક કળાના કારીગર આ વામન ના પગલે ચીફ એકાઉન્ટન્ટ ચાલવા જાય છે, તેવી ચર્ચાઓ ચાલવા જાય છે, અને વામન જેમ આગળ ધપનાર ની પાંખો કાપતા તેમજ આ ભાઇ એ જ રસ્તે આગળ ધપી રહ્યા હોવાની માત્ર ચર્ચાઓ ચાલી રહી છે.
પરંતુ એક તો બગલો અને હંસ બંનેમા ફેર બીજુ આવડત કોઠાસુઝ કાયદાનુ નોલેજ એ બધામા માહિર હોઇએ એ બધુ જ પણ જરૂરી છે નહી તો કોઇને શીંગડા ભરાવવા જઇએ તો ઉલટા ભેખડે ભરાય જઇએ કેમકે આપણુય બધુ ગોબરૂ અને સુઝકા ન પડે તેવુ ચિતરામણ ઓછુ નથી છતાય “કો’ક”ની કૃપાથી ઓડીટ ને દાદ નથી દેતા..કાંતો કોક ની મદદ લઇ ઉભા થતા ઇસ્યુ દબાવે છે, અરે ત્યા સુધી કે એક વખત તો અમુક ખાસ સમુનમુ કરવા આ ભાઇને રાત્રે ઓફીસે દોડતુ આવવુ પડ્યુ તુ ઇ ભુલી ગયા? આપણા મિલકત વેરાના પુછાણ થયા ત્યારે કેવા-કેવા ખુલાસાઓ કરવા પરસેવાના રેલા પાડવા પડે છે ઇ પણ ભુલી ગયા..?
માહિતીઓ મંગાય ત્યારે કેવા રસ્તાઓ અખત્યાર કરી બધુ ઠરી ઠામ કરવા લાગી જવુ પડે છે અને છતાય ” હુંકાર” તો છોડવો જ નથી ખરેખર આપણે કાચના ઘરમાં રહેતા હોઇએ તો બીજાના ઘર ઉપર પથ્થર ફેંકવા ના જવાય? અને તે પણ કોઇને નડતા ન હોય તેવા પ્રોજેક્ટ પ્લાનીંગના અધીકારી જે સ્ટ્રેસમાં કામ કરે છે તેને તો શાંતિથી કામ કરવા દો ભાઇ આપણે “હિસાબ” લઇને બેઠા છીએ તેમ આપણાય ક્યાક ” હિસાબ” રખાતા જ હોય ઇ થોથા ખુલશે તો તકલીફ પડશે તેમ પણ કોર્પોરેશનમાં આંતરિક ગણગણાટ જોવા મળે છે, કેમ કે પહેલા જે વામન હતા તેને સાતેય કોઠા વીંધતા આવડતુ આપણને નથી આવડતુ એ આત્મચિંતન કરીને કોઇને હેરાન કરવા કે રીતસર પાછળ પડી જવાનુ વિચારાય તેવી સલાહો હાલના આ સમગ્ર પ્રકરણ અંતર્ગત સમીક્ષા કરવાની સાથે જાણકારો અને નીવડેલાઓ આપી રહ્યા છે,
જામનગર મનપામાંથી એક વામનની વિદાય બાદ આ હિસાબનીસ અધિકારીએ આખું મનપા માથે લીધું હોય તેમ લાગે છે, જેની નોંધ છેક ઉપર સુધી લેવાઈ હતી કેમકે મનપાના સારા એવા ડ્રીમ પ્રોજેક્ટ ગણાય તેવા એલઈડી લાઈટના પ્રોજેક્ટમાં પણ આ ચીફ એકાઉન્ટન્ટ અધિકારીએ ખોચરા કાઢી પગ અડાડી ને પ્રોજેક્ટને કેટલીય સળીઓ કરી છે, નહી તો નિષ્ણાંતોના મતે એવુ કહેવાય છે કે ટેકનીકલ દ્રષ્ટિએ ગુજરાતમાં કોઇપણ સિટીમાં આવા પ્રકારનું લાઈટીંગનું કામ નહી થયું હોય, તેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ભાઇ દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને ખોરંભે ચઢાવવા માટે જે તે વખતે વામનના રવાડે ચડી ખુબ જહેમત લીધી જેને કારણે આખો પ્રોજેક્ટ ધૂળધાણી થઇ ગયો તેવું ચર્ચાય છે, આવી તો અનેક ટીકાપાત્ર નીતિરીતી અખત્યાર કરતા આ ભાઇ સમજે તે મનપા અને જામનગરની જનતા તેમજ મનપાની તિજોરી એટલે કે પ્રજાના નાણાના હિતમાં છે નહિ તો “રખોપા” બરાબર ન રાખનારાની હાલત બગડી શકે તેવી ચિંતા અમુક તેના ખુબ નજીકનાઓ સેવે છે.